Skip to main content

Holi 2022: ગુજરાતનું એક એવું ગામ જ્યાં 200 વર્ષથી હોળી નથી રમાઈ, જાણો શું છે કારણ


<p><strong>Holi 2022:</strong> ભારતભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારની ઉજવણીની મુખ્ય ઓળખ હોલીકા દહન અને રંગ છે. હોલીકા દહન અને રંગો વગરની હોળીની ઉજવણી કરવાની કલ્પના પણ ના થઈ શકે. જો કે, ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં છેલ્લા 200 વર્ષથી હોળીની ઉજવણી નથી કરાઈ. આ ઉજવણી કેમ નથી કરાઈ તેનું કારણ પણ 200 વર્ષ જુની એક ઘટના છે જેનો ડર આજે પણ આ ગામના લોકોમાં યથાવત છે.&nbsp;</p> <p><strong>સંતોનો શ્રાપઃ</strong><br />ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી હોળીના પર્વની ઉજવણી નથી કરવામાં આવી. હોળીની ઉજવણી ના કરવાનું કારણ અહીં વર્ષો પહેલાં બનેલી એક ઘટના છે. એવી માન્યતા છે કે, એક અહંકારી રાજાએ ખરાબ કામ કર્યા હતા. રાજાના આ કામોથી કેટલાક સંતો ક્રોધિત થયા હતા અને આ ગામને શ્રાપ આપ્યો હતો. સંતોએ શ્રાપ આપીને કહ્યું હતું કે, આ ગામ સદાય માટે રંગહીન (બેરંગ) રહેશે. ત્યારથી લઈને અત્યાર સુધી આ ગામમાં હોળી ના રમવાની પરંપરા ચાલી આવે છે. આ સાથે આ રામસણ ગામમાં હોળી પણ નથી પ્રગટાવામાં આવતી.&nbsp;</p> <p><strong>ગામમાં આગ લાગીઃ</strong><br />મીડિયા અહેવાલો પ્રમાણે, રામસણ ગામના લોકોનું કહેવું છે કે,&nbsp;આ ગામમાં છેલ્લા 200 થી વધુ વર્ષોથી હોલીકા દહન નથી કરાયું અને હોળી-ધૂળેટીની ઉજવણી પણ નથી કરાઈ. 200 વર્ષ પહેલાં આ ગામમાં હોળી પ્રગટાવાઈ હતી અને ધામધૂમથી હોળીની ઉજવણી કરાઈ હતી. પણ એજ હોળીના દિવસે અચાનક આખા ગામમાં આગ લાગી હતી અને આગમાં ઘણાં ઘર બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના બાદ ગામના લોકોમાં એવો ડર આવ્યો કે ત્યારથી લઈને અત્યાર સુધી હોળીની ઉજવણી નથી કરાઈ.&nbsp;</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <h4 class="article-title "><a title="દેવભૂમિ દ્વારકા : ભાણવડમાં ત્રિવેણી સંગમમાં પાંચ કિશોરોના ડૂબી જતા મોત થયા" href="https://ift.tt/1QjtR7u" target="">દેવભૂમિ દ્વારકા : ભાણવડમાં ત્રિવેણી સંગમમાં પાંચ કિશોરોના ડૂબી જતા મોત થયા</a></h4>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...