Skip to main content

PM Modi Gujarat Visit : એપ્રિલ મહિનામાં PM મોદીના બે, અમિત શાહનો એક પ્રવાસ, જાણો સંપૂર્ણ વિગત


<p><strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.</p> <p><strong>ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ક્યારે અને શું છે તેમનો કાર્યક્રમ?</strong></p> <p>ગાંધીનગરઃ ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.</p> <p><strong>ગુજરાતમાં ભાજપમાં આજે અમદાવાદના કયા આગેવાનો જોડાશે ભાજપમાં? જાણો મોટા સમાચાર</strong></p> <p>ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે બપોરે એક વાગ્યે આગેવાનો ભાજપમાં જોડાવાના છે.&nbsp;</p> <p><strong>અમદાવાદ:</strong>&nbsp;ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં નરેશ પટેલ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ બન્ને દિગ્ગજોને લઈને કેટલીક વાતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાંત કિશોર રણનીતિકાર તરીકે નહિ એક નેતા તરીકે કોંગ્રેસમાં કામ કરશે. તેઓ ટૂંક સમયમાં જ<br />વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે.કોંગ્રેસના જોડાયા બાદ તેઓ ગુજરાત માટે કરશે કામ.</p> <p>આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ અટકળો નરેશ પટેલને લઈને ચાલી રહી છે. પરંતુ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાશે તેવી વાત સામે આવી છે. નરેશ પટેલ 2022ની ચૂંટણી પણ લડશે. જો કે તેના આવવાથી હાર્દિક પટેલનું પદ યથાવત રહેશે. હાર્દિકનું કદ ન ઘટે તે માટે નરેશ પટેલને અન્ય કામગીરી સોંપાશે. નરેશ પટેલની પોતાને CMનો ચેહરો જાહેર કરવાની માગ કરી હોવાની અટકળો ચાલી રહી છે. &nbsp;જોકે આ મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ કમીટમેન્ટ આપ્યું નથી. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર એપ્રિલના પહેલા સપ્તાહમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.</p> <p><strong>ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ?&nbsp;</strong></p> <p>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે. &nbsp;કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા. &nbsp;</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot" data-google-query-id="COL789iV7fYCFRITaAody6kFVQ"> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__">નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. &nbsp;આદિવાસી નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રભારી રઘુ શર્મા પણ તેમની નારાજગી દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધુસૂદન મિસ્ત્રીના કારણે અશ્વિન કોટવાલ નારાજ છે. 2022ની ચૂંટણીમાં મિસ્ત્રીના ઈશારે હેરાન થવાની તેમને આશંકા છે.</div> </div> </div> </div> <p><strong>રાહુલ ગાંધી સુધી પહોંચ્યો મામલો</strong></p> <p>મધુસૂદન મિસ્ત્રી દ્વારા હેરાનગતિ ન થાય તેવી રાહુલ ગાંધી ગેરંટી આપે તેવી કોટવાળની માંગ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. લોકપ્રિયતા હોવા છતા 2017માં ટિકિટ માટે કોટવાળને હેરાન થવું પડ્યું હતું. મધુસુદન મિસ્ત્રી તરફથી હેરાનગતિ અટકવાનું નક્કર વચન હાઈકમાંડ નહીં આપે તો કોટવાલ કોંગ્રેસ છોતે તેવી શક્યતા છે. રઘુ શર્માના પ્રયાસો નિષ્ફળ રહેતા મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ કોટવાલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...