Skip to main content

'હાર્દિકભાઈ CM બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી, કોંગ્રેસનો CM બનવો જોઈએ'


<p style="text-align: justify;"><strong>અમદાવાદ:</strong> કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર, નરેશ પટેલ, હાર્દિક પટેલ અને વિધાનસભાની આગામી ચૂંટણી તેમજ ભાજપની આંતરિક લડાઈ અંગે વાત કરી હતી. ભરતસિંહ સોલંકીએ એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મુખ્યમંત્રી બને તે મારો ધ્યેય છે, પછી હાર્દિક પટેલ બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી. પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નથી પરંતુ હજુ હું પ્રશાંત કિશોરને મળતો રહીશ તેવું ઉમેરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર બાબતે ઘણી ચર્ચા ચાલતી હતી હાઇકમાન્ડ વાત કરતુ હતું.</p> <p style="text-align: justify;">&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/nDH7fKjqN_M" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">પ્રશાંત કિશોર સહિતના પરિબળો લોકશાહી મજબૂત કરવાની વાત કરે છે. વિજયભાઈની સરકાર બરખાસ્ત કરી દેવાઈ. હું પ્રશાંત કિશોરને મળ્યો હતો. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ગમે તેમ સત્તા ટકાવી રાખવા પરિવર્તન થયું. તે હકીકત છે કે આ સરકાર ખોટી છે. નરેશ પટેલ આવે તે પહેલો મારો અભિગમ છે. નરેશ પટેલને જઈ પહેલા હું મળ્યો હતો. મેં ક્યારેય નરેશ પટેલનો વિરોધ નથી કર્યો. હાર્દિક ભાઈ CM બને કે નરેશ પટેલ બને મને કોઈ વાંધો નથી. કોંગ્રેસનો CM બનવો જોઈએ એ મારો ધ્યેય છે. શંકરસિંહ મામલે હાઇકમાન્ડ નિર્ણય કરશે. પ્રશાંત કિશોરને હું મળતો રહેવાનો છું. &nbsp;હું ચૂંટણી લડીશ કે નહિ એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. ભાજપમાંથી 40-50 ને ટિકિટ નહિ મળે. BTP મામલે ભારતસિંહે નિવેદન આપવાનું ટાળ્યું હતું.</p> <p style="text-align: justify;"><strong>ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું</strong></p> <p style="text-align: justify;"><strong>Gujarat:</strong> ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના DGP &nbsp;આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો સૂતળી મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો આ જથ્થો ઝડપાયો છે.</p> <p style="text-align: justify;">ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે 'અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. DGPના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી 35 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ATS-NCBનું સંયુક્ત ઓપરેશન હતું.</p> <p style="text-align: justify;">રાજ્યના DGPના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS &nbsp;દ્વારા બે આરોપીઓને અહીં લાવવામાં આવ્યા છે અને અન્ય બે આરોપીઓની NCB &nbsp;દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના આધારે શાહીન બાગ - દિલ્હી ખાતે બીજી એક જપ્તી કરવામાં આવી હતી, જ્યાં 50 કિલો હેરોઈન અને કેટલાક અન્ય પાઉડર મળી આવ્યા હતા, જેમાં 30 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.</p> <p style="text-align: justify;">બે દિવસ પહેલા કંડલા પોર્ટ પર એક કન્ટેનરમાંથી 205 કિલો હેરોઈન ઝડપાયું હતું. ATS-DRI નું સંયુક્ત ઓપરેશન હતું. DRI &nbsp;દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓએ મુખ્ય આરોપી જોબન સિંહને તરનતારનમાંથી પકડ્યો છે. રિમાન્ડ પર લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...