Skip to main content

Petrol Diesel Price: મહારાષ્ટ્રમાંથી કેમ લોકો ગુજરાતમાં આવી રહ્યા છે પેટ્રોલ પુરાવવા ? જાણો શું છે કારણ


<p><strong>Petrol Diesel Price in Gujarat:</strong> &nbsp;મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને રાહત આપવા માટે મોદી સરકારે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી લોકોને ચોક્કસ રાહત મળશે. કેન્દ્ર સરકારે ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા છતાં ઘણા રાજ્યો ઘટાડો કરવા તૈયાર નથી. પરિણામે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાંથી ઘણા વાહન ચાલકો અહીં પેટ્રોલ પુરાવવા આવે છે.</p> <p><strong>મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં કેટલા સસ્તા છે પેટ્રોલ-ડીઝલ</strong></p> <p>મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી હોવાથી મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના લોકો અહીં ઈંધણ પુરાવવા આવે છે. વલસાડના એક પેટ્રોલ પંપના માલિકે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, મહારાષ્ટ્ર બોર્ડર અહીંથી 2 કિમી દૂર છે. લોકો અમારા પંપ પરથી ઇંધણ ખરીદે છે. કારણ કે મહારાષ્ટ્ર કરતાં અહીં પેટ્રોલમાં રૂ. 14/લિટર અને ડીઝલમાં રૂ. 3.5/લિટરનો તફાવત છે.</p> <p>મહારાષ્ટ્રના એક ગ્રાહકે જણાવ્યું, હું મારા કામ માટે દરરોજ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાર કરું છું અને સામાન્ય રીતે હું આ પંપમાંથી ઇંધણ ખરીદું છું. આ રીતે અમે પેટ્રોલમાં લગભગ રૂ. 14 લિટરની બચત કરીએ છીએ અને દર મહિને આશરે રૂ. 3000ની બચત થાય છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">"I cross the Gujarat-Maharashtra border every day for my work and I usually purchase fuel from this pump. This way we save almost Rs14/liter in petrol and around Rs 3000 every month is saved," said a customer from Maharashtra <a href="https://t.co/mdaFMcLA9D">pic.twitter.com/mdaFMcLA9D</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1529050388221263872?ref_src=twsrc%5Etfw">May 24, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>સસ્તા ક્રૂડ ઓઈલથી સામાન્ય લોકોને કોઈ ફાયદો થતો નથી</strong></p> <p>આ મહિને મોદી સરકારે સત્તામાં 8 વર્ષ પૂર્ણ કર્યા છે. 2014માં યુપીએ સરકારને હટાવીને મોદી સરકાર સત્તામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 110 ડોલર પ્રતિ ડોલર હતી. પેટ્રોલ 71.41 રૂપિયા અને ડીઝલ 55.49 રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ હતું. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ વૈશ્વિક કારણોસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે મોદી સરકારે સત્તામાં એક વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં 41 ટકાનો ઘટાડો થયો હતો અને મે 2016ની બીજી વર્ષગાંઠ દરમિયાન 56 ટકા ક્રૂડ ઓઈલ સસ્તું થઈ ગયું હતું. પરંતુ જ્યારે પેટ્રોલના ભાવમાં માત્ર 11 ટકાનો ઘટાડો થયો ત્યારે ડીઝલ માત્ર 16 ટકા સસ્તું થયું. કોરોના મહામારી દરમિયાન જ્યારે આખી દુનિયા ઘરની અંદર બંધ હતી. ભારતમાં લોકડાઉન હતું. ત્યારબાદ માંગના અભાવે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. મે 2020 માં કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે મોદી સરકાર સત્તામાં 6 વર્ષ પૂર્ણ કરી રહી હતી, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $ 33 ની નજીક ટ્રેડ કરી રહ્યું હતું. એટલે કે 2014ની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ લગભગ 70 ટકા સસ્તું થઈ ગયું હતું. પરંતુ કેન્દ્રની મોદી સરકાર 2014ની સરખામણીમાં 2.54 ટકા સસ્તા ભાવે પેટ્રોલ વેચી રહી હતી જ્યારે ડીઝલ 12 ટકા વધુ ભાવે મળી રહ્યું હતું.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...