
<p><strong>Gujarat Corona Update : </strong>ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે 23 જૂને રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 22 જૂને રાજ્યમાં 407 નવા કેસ નોંધાયા બાદ આજે 23 જૂને કોરોના વાયરસના નવા 416 કેસો નોંધાયા છે જે ગઈકાલ કરતા 9 કેસ વધારે છે. </p> <p><strong>આજે ક્યાં કેટલા કેસ નોંધાયા </strong><br />રાજ્યમાં આજે નોંધાયેલા 416 કેસો (Gujarat Corona Update)માં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 182, સુરત શહેરમાં 56, વડોદરા શહેરમાં 40, સુરત જિલ્લામાં 34, ગાંધીનગર શહેરમાં 15, ભાવનગર શહેરમાં 13 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. </p> <p><strong>230 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 1927 થયા </strong><br />રાજ્યમાં આજે 23 જૂને કોરોનાથી મુક્ત થઇને 230 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,036 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 1927 થયા છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 1923 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. (Gujarat Corona Update)</p> <p><strong>દેશમાં કોરોનાના 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા</strong><br />ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,313 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 38 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 83 હજારથી વધુ (83,990 કેસ) થઈ ગયા છે. અગાઉ એટલે કે 22 જૂને દેશભરમાં કોરોના સંક્રમણના 12249 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મોત થયા છે.</p> <p> </p>
Comments
Post a Comment