Skip to main content

Gujarat Monsoon: પ્રથમ નવરાત્રીએ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ


<p><strong>Gujarat Monsoon:</strong> આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.&nbsp; રાજ્યમાં જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં અથવા તો જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે શહેર, જિલ્લામાં ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.</p> <p><strong>અમદાવાદમાં વરસાદ</strong></p> <p>અમદાવાદમાં સમાન્ય વરસાદની આગાહી છે, રાત્રે વરસાદની નહીંવત શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરના ઓઢવ,વસ્ત્રાલ,રામોલ ,નિકોલમાં વરસાદ પડ્યો છે.</p> <p>વડોદરામાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનિષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો.&nbsp; જામ્બુવા, મકપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો છે.&nbsp;</p> <p><strong>સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ</strong></p> <p>અમરેલી જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ છે, ખાંભા શહેરમાં પણ વરસાદ છે. ધોધમાર વરસાદના કારણે વાતવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.</p> <p>સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના ઉના, સૂત્રાપાડા સહિતના દરિયા કાઠાના વિસ્તારોમાં પણ વરસાદ છે. ઉનાના અનેક વિસ્તારોમાં અર્ધો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો છે, તો સુત્રાપાડાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે. જયારે કોડીનારના દરિયા કાંઠે હળવા ઝાપટાં છે.</p> <p>ભાવનગર શહેરમાં પ્રથમ નવરાત્રીએ મેઘરાજાનું આગમન થયું છે. શહેર વિસ્તારમાં સાર્વત્રિક મેઘરાજાની એન્ટ્રી થતાં ખેલૈયાઓનો ઉત્સાહ ભાંગ્યો છે. આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે. શહેર વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર વરસાદને લઇ પાણી વહેતા થયા છે. વાઘાવાડી રોડ, ડેરી રોડ, નીલમબાગ, વિરાણી સર્કલ, ચિત્રા વિસ્તાર, મેઘાણી સર્કલ સહિતના વિસ્તારોમાં રોડ પરથી પાણી વહેતા થયા છે.</p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ</strong></p> <p>દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતામાં પડી ગયા છે. સુરત જિલ્લામાં વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઓલપાડ,કરમલા,માસમાં,સહિતનાં ગામોમાં વરસાદ પડી રહ્યો છે.</p> <p><iframe title="સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધીમીધારે વરસાદ" src="https://www.youtube.com/embed/lwvC1h5gx9s" width="961" height="721" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><strong><a title="Rajkot: મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત ED એ કરી જપ્ત, જાણો શું છે મામલો" href="https://ift.tt/Ff9mitj" target="null">Rajkot: મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત ED એ કરી જપ્ત, જાણો શું છે મામલો</a></strong></p> <p><strong><a title="Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો" href="https://ift.tt/1ShiEdB" target="null">Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...