Skip to main content

PM Modi Gujarat Visit: PM મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, સુરત અને ભાવનગરમાં રોડ શોની તૈયારીઓ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


<p><strong>PM Modi Gujarat Program:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં પીએમ મોદીનો સુરત અને ભાવનગરમાં રોડ શો પણ થશે. વડાપ્રધાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં વિવિધ કાર્યક્રમોમાં આશરે રૂ. 29,000 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય વિશ્વ-સ્તરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, ગતિશીલતા વધારવા અને જીવનની સરળતામાં નોંધપાત્ર સુધારો કરવાનો છે.</p> <p><strong>પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ</strong></p> <p>ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે. આ પછી પીએમ મોદી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદ મેટ્રોમાં પણ મુસાફરી કરશે. કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે.</p> <p>ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી 36મી નેશનલ ગેમ્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. આ સાથે જ વડાપ્રધાન નવી બ્રોડગેજ લાઇનનો શિલાન્યાસ કરશે, જેનાથી યાત્રિકોને અંબાજી જવામાં સરળતા રહેશે. પીએમ અંબાજી મંદિરની પણ મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. આ સાથે પીએમ મોદી અમદાવાદમાં નવરાત્રી પર્વની ઉજવણીમાં પણ ભાગ લેશે.</p> <p><strong>અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે છે</strong></p> <p>ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમયે ગુજરાતના પ્રવાસે છે. તેમના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહ આજે તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શાહ મંગળવારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં 750 બેડની હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે.</p> <p>ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ બેઠક માટે જશે. આજે બપોરે અમિત શાહ કમલમ ખાતે બેઠક કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો સાથે અમિત શાહ બેઠક કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે.</p> <p>પોતાના કાર્યક્રમોમાં 12.30 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ પર બેઠક કરશે. અગાઉ કેન્સ વિલે ખાતે યોજાયેલ બેઠકમાં અમિત શાહ હાજર રહ્યા હતા.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...