Skip to main content

Morbi Bridge Collapse: મોદી 1979માં મોરબીની હોનારત વખતે રાહત કાર્યમાં જોડાયા હતા, જાણો કોની સાથે શેર કર્યો કિસ્સો


<p><strong>Morbi Bridge Collapse:</strong> &nbsp;ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ ધરાશાયી થતાં 140 થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. અગાઉ 1979માં મોરબીમાં પણ આવી જ એક દુર્ઘટના થઈ હતી. જેમાં એક હજાર જેટલા લોકોના મોત થયા હતા. 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબી ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ડેમ ભારે વરસાદ બાદ તૂટી ગયો હતો. તે સમયે કેન્દ્ર અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર હતી. તે સમયે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના સુધી મોરબીથી તેમનું મંત્રીમંડળ ચલાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. દુર્ઘટના બાદ તેમણે ત્યાં રાહત અને બચાવ કાર્યમાં ભાગ લીધો હતો.</p> <p><strong>&nbsp;મચ્છુ નદી પર બનેલો પુલ કેવી રીતે તૂટ્યો?</strong></p> <p>સતત ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદને કારણે, મચ્છુ નદી પર બનેલો ડેમ 11 ઓગસ્ટ 1979ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થયો અને તૂટી ગયો. સરકારી આંકડાઓ અનુસાર તે દુર્ઘટનામાં એક હજાર લોકો માર્યા ગયા હતા. બિનસત્તાવાર આંકડાઓ અનુસાર 25 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના માટે તેમનું મંત્રીમંડળ મોરબીમાં શિફ્ટ કર્યું હતું.ગુજરાત સરકારે તેને એક્ટ ઓફ ગોડ ગણાવ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર તે સમયે લગભગ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.</p> <p>તે સમયે ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન હતા. ગુજરાતમાં બાબુભાઈ પટેલના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર હતી. આ દુર્ઘટનાના થોડા દિવસો પછી 16 ઓગસ્ટના રોજ ઈન્દિરા ગાંધીએ મોરબીની મુલાકાત લીધી. જ્યારે ઈન્દિરા ગાંધી ત્યાં પહોંચ્યા ત્યારે મૃતદેહોની દુર્ગંધ એટલી બધી હતી કે તેમણે નાક પર રૂમાલ બાંધવો પડ્યો.</p> <p><strong>નરેન્દ્ર મોદી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા</strong></p> <p>નરેન્દ્ર મોદી રાહત અને બચાવ કાર્ય માટે ગયા હતા. તે સમયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન સ્ટાર પીવી સંધુ સાથે આ ઘટના શેર કરી હતી. મોદીએ કહ્યું હતું કે, 11 ઓગસ્ટ, 1979ના રોજ તેઓ સ્વયંસેવક તરીકે ત્યાં ગયા હતા અને રાહત કાર્યમાં લાગેલા હતા.</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><strong><a title="Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાવુક થયા પીએમ મોદી, જાણો શું કહ્યું" href="https://ift.tt/cp7MHG0" target="_self">Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાવુક થયા પીએમ મોદી, જાણો શું કહ્યું</a></strong></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>