Skip to main content

Morbi Bridge Collapse: મોદી 1979માં મોરબીની હોનારત વખતે રાહત કાર્યમાં જોડાયા હતા, જાણો કોની સાથે શેર કર્યો કિસ્સો


<p><strong>Morbi Bridge Collapse:</strong> &nbsp;ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ ધરાશાયી થતાં 140 થી વધુ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. અગાઉ 1979માં મોરબીમાં પણ આવી જ એક દુર્ઘટના થઈ હતી. જેમાં એક હજાર જેટલા લોકોના મોત થયા હતા. 11 ઓગસ્ટ 1979ના રોજ મોરબી ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ડેમ ભારે વરસાદ બાદ તૂટી ગયો હતો. તે સમયે કેન્દ્ર અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર હતી. તે સમયે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના સુધી મોરબીથી તેમનું મંત્રીમંડળ ચલાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. દુર્ઘટના બાદ તેમણે ત્યાં રાહત અને બચાવ કાર્યમાં ભાગ લીધો હતો.</p> <p><strong>&nbsp;મચ્છુ નદી પર બનેલો પુલ કેવી રીતે તૂટ્યો?</strong></p> <p>સતત ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદને કારણે, મચ્છુ નદી પર બનેલો ડેમ 11 ઓગસ્ટ 1979ના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થયો અને તૂટી ગયો. સરકારી આંકડાઓ અનુસાર તે દુર્ઘટનામાં એક હજાર લોકો માર્યા ગયા હતા. બિનસત્તાવાર આંકડાઓ અનુસાર 25 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે લગભગ 6 મહિના માટે તેમનું મંત્રીમંડળ મોરબીમાં શિફ્ટ કર્યું હતું.ગુજરાત સરકારે તેને એક્ટ ઓફ ગોડ ગણાવ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર તે સમયે લગભગ 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.</p> <p>તે સમયે ચૌધરી ચરણ સિંહ વડાપ્રધાન હતા. ગુજરાતમાં બાબુભાઈ પટેલના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર હતી. આ દુર્ઘટનાના થોડા દિવસો પછી 16 ઓગસ્ટના રોજ ઈન્દિરા ગાંધીએ મોરબીની મુલાકાત લીધી. જ્યારે ઈન્દિરા ગાંધી ત્યાં પહોંચ્યા ત્યારે મૃતદેહોની દુર્ગંધ એટલી બધી હતી કે તેમણે નાક પર રૂમાલ બાંધવો પડ્યો.</p> <p><strong>નરેન્દ્ર મોદી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા</strong></p> <p>નરેન્દ્ર મોદી રાહત અને બચાવ કાર્ય માટે ગયા હતા. તે સમયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન સ્ટાર પીવી સંધુ સાથે આ ઘટના શેર કરી હતી. મોદીએ કહ્યું હતું કે, 11 ઓગસ્ટ, 1979ના રોજ તેઓ સ્વયંસેવક તરીકે ત્યાં ગયા હતા અને રાહત કાર્યમાં લાગેલા હતા.</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><strong><a title="Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાવુક થયા પીએમ મોદી, જાણો શું કહ્યું" href="https://ift.tt/cp7MHG0" target="_self">Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાવુક થયા પીએમ મોદી, જાણો શું કહ્યું</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...