Skip to main content

Accident: કાર બેકાબુ થઈ ડીવાઈડર વટાવી બસ સાથે અથડાઈ, 9 લોકોનાં મોત


<p><strong>Accident:</strong> નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આજે વલસાડથી ભરૂચ જતી લકઝુરિયસ કારે બસને ટક્કર મારી હતી. જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં ઇજા પામેલા કુલ 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને એક ને વધુ ઇજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઇજા અને 9 લોકોના મૃત્યુ થયા છે. મૃતકો અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાની માહિતી સામે આવી છે. કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.<br /><br /><strong>મૃતકો ના નામ</strong> <br /><br />મયુર વાવેયા<br />પ્રજ્ઞેશભાઈ વેકરીયા <br />ધર્મેશભાઈ શેલડીયા<br />જયદીપભાઇ પેથાણી<br />જયદીપભાઇ ગોધાણી<br />નવનીત ભાઈ ભડીયાદરા<br />નીતિનભાઈ પાટીલ કંપનીનો ડ્રાઇવર</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/ZipzPmI" width="631" height="381" scrolling="no"></iframe></p> <p><strong>હીરાબાની ચિર વિદાય સહિત વર્ષ 2022ની આ ઘટનાઓ ગુજરાત ક્યારેય નહીં ભૂલે</strong></p> <p>વર્ષ 2022નો આજે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની ચિર વિદાયથી લઈ અનેક બાબતો માટે ગુજરાત માટે ખાસ રહ્યું. આ વર્ષે રાજ્યમાં બનેલી ઘણી ઘટનાઓને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.</p> <ul> <li>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે નિધન થયું. અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે મધરાતે ૩.૩૦ કલાકે દેહ ત્યાગ કર્યો. ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી મોદીએ તેમની માતાના દેહને કાંધ આપ્યો હતો અને સેક્ટર-30ના અંતિમધામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. માતાના અવસાનના સમાચાર મળતાં તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ દોડી આવ્યા હતા. માતાને અંજલિ આપતી વખતે તેમજ અંતિમ વિધિ સમયે તેઓ ભાવુક બની ગયા હતા. હીરાબાએ દુનિયાથી વિદાય લીધી છે. વહેલી સવારે વડાપ્રધાને ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી હતી.</li> <li>ભાજપે રાજ્યમાં સતત સાતમી વખત વિધાનસભા ચૂંટણી જીતી હતી, જેના કારણે 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનું મનોબળ વધ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટ મળી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મળી હતી, જ્યારે રાજ્યમાં પહેલીવાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી (આપ)ને પાંચ સીટો પર જીત મળી હતી.</li> <li>ગુજરાતના મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો બ્રિટિશ કાળનો પુલ 30 ઓક્ટોબરના રોજ ધરાશાયી થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં.</li> <li>ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બોટાદ જિલ્લામાં જુલાઈમાં ઝેરી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં રાજ્યની એક કોર્ટે રેકોર્ડ 38 લોકોને મોતની સજા સંભળાવી હતી અને 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના ગુનામાં 11 અન્ય લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા.</li> <li>ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો 20 વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા, રે બિલ્કિસ બાનો પર ગેંગરેપ કરવા અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવાના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષિતોને ઓગસ્ટમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલાએ એટલો વેગ પકડ્યો કે હવે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.</li> <li>સુરતમાં કોલેજની વિદ્યાર્થીની સમરા વેકરીયાની તેના પરિવારજનો સામે ફેનિલ ગોયાણીએ ધોળા દિવસે હત્યા કરી દેતા શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી. ગોયાણીના પ્રેમ પ્રસ્તાવને ગ્રીષ્માએ ઠુકરાવી દીધો હતો. જેનાથી ગુસ્સે ભરાઈને ગળું કાપી નાંખ્યું હતું.</li> <li>સુરક્ષા એજન્સીઓએ આ વર્ષે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેના કારણે રાજ્યમાં પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી વધી રહી છે. એપ્રિલમાં કંડલા બંદરેથી 1430 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું હતું. આ મહિનાની શરૂઆતમાં જ ભારતીય તટરક્ષક દળે 280 કરોડ રૂપિયાની હેરોઇન લઇને જઇ રહેલી પાકિસ્તાની બોટને જપ્ત કરી હતી અને નવ ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી હતી.</li> <li>જુલાઈમાં મુન્દ્રા બંદર નજીકથી 376 કરોડ રૂપિયાનું હેરોઇન પકડાયું હતું. જાન્યુઆરીમાં કેનેડા-અમેરિકા સરહદ પર ડિંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મોત બાદ ગુજરાતમાંથી અમેરિકામાં ગેરકાયદે સ્થળાંતરનો મુદ્દો સામે આવ્યો હતો.</li> <li>એપ્રિલમાં તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાંથી મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું. જ્હોનસન સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટીશ વડા પ્રધાન હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઓક્ટોબરમાં ભારતના પ્રથમ સૌર ઊર્જાથી ચાલતા ગામ મોઢેરાની મુલાકાત લીધી હતી. ગાંધીનગરે ઓક્ટોબરમાં પ્રથમ વખત 'ડિફેન્સ એક્સ્પો'નું આયોજન કર્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓનું પ્રદર્શન કરવાની સાથે મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હતું.</li> </ul> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Gujarat | Several people injured in a collision between a bus and a car in Navsari. Injured admitted to hospital. More details awaited. <a href="https://t.co/AFUabv1dSB">pic.twitter.com/AFUabv1dSB</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1609016929032851456?ref_src=twsrc%5Etfw">December 31, 2022</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...