Skip to main content

Gujarat Weather: હજુ બે દિવસ માવઠાથી નહીં મળે રાહત, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ


<p><strong>Gujarat Weather:</strong> &nbsp;હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.</p> <p><strong>અમરેલીમાં આજે માવઠું</strong></p> <p>અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયાથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે પણ ધારીના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે. ધારીના નાગધ્રા અને આસપાસના ગામોમાં માવઠાથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે.</p> <p><strong>કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન</strong></p> <p>સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રવિ પાકમાં સતત ત્રીજી વખત નુકસાન થયું છે. હજી સુધી ખેડૂતોને એક પણ રૂપિયો સહાય મળી નથી. ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં નુકસાન થયું છે.<br /><br />કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખીયાએ કહ્યું, અઢી વર્ષમાં સાત વખત કમોસમી વરસાદ વરસ્યો, મુખ્યમંત્રી સહાયમાંથી ખેડૂતને એક રૂપિયો પણ નથી ચૂકવાયો. સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદથી નુકસાન થઈ રહ્યું છે.</p> <p>જામનગર શહેરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો છે. વતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થયો છે. શહેરના ટાઉનહોલ, બેડીગેટ,લાલબંગલા સહિતના વિસ્તારોમાં વરસાદ છે.</p> <p><strong>માવઠા બાદ ઈયળોના ત્રાસથી ખેડૂતો પરેશાન</strong></p> <p>રાજ્યભરમાં એક તરફ માવઠાનો માર યથાવત છે અને બીજી તરફ ફરી એકવાર કુદરતી આફતનો ખેડૂતો શિકાર બની રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર પંથકના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે કાંકરેજના નાણોટા સહિત દિયોદર પંથકના સોની,ઓઢા,ધનકવાડા,ફોરણા સહિતના ગામોમાં ઈયળના ત્રાસ ખેડૂતો પરેશાન બન્યા છે એરંડા, રજકો તમાકુ સહિતના પાકોમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો છે એરંડાના ઉભા પાક માં ઈયળના ઝુંડ દેખાતા એરંડાનો પાકને અને પાનને ખઈ ઉત્પાદન ઘટાડતા ખેડૂતો મસ મોટું નુકસાન બેઠવું પડે છે ખેડૂતોની માંગ છે કે ત્વરિત સરકાર દ્વારા આ ઇયળોની નાશ કરવામાં આવે અથવા તો દવાનો છંટકાવ કરી ઇયળો ના ઉપદ્રવને ઘટાડવામાં આવે તો ક્યાંક ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>