Skip to main content

ચોમાસા પહેલા મીની વાવાઝોડુ, રાજ્યનાં આ વિસ્તારમાં આજે ભારે પવન ફૂંકાવાની આગાહી


<p><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં ગરમીમાં તો ઘટાડો થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભારે પવન ફૂકાવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ દિશાએથી ગુજરાત ઉપર ચોમાસુંના આગમનને હજુ ચાર સપ્તાહનો સમય બાકી છે. ત્યારે ચોમાસા પહેલા વાવાઝોડાને બદલે શક્તિ શાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું છે. જેના પગલે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં 26મે સુધી 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છો. તો દરિયાકાંઠેના વિસ્તારોમાં 64 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે. જેથી જ ગુજરાતના તમામ બંદરોએ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપી છે. હવામાન નિષ્ણાંતોને મતે નૈઋત્યના ચોમાસા માટે ગુજરાતને જૂનના બીજા સપ્તાહ સુધી રાહ જોવી પડી શકે છે.</p> <p>રાજ્યમા આજથી કાળઝાળ ગરમીમાં આંશિક ઘટાડો થશે. ચાર દિવસ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ઘટવાની આગાહી કરવામાં આવી છે. જો કે મંગળવારે રાજ્યના 6 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તેમાં પણ 42.3 ડિગ્રી સાથે અમદાવાદ સતત ત્રીજા દિવસે ગુજરાતનું હોટેસ્ટ સિટી રહ્યું છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં 41 ડિગ્રીની આશપાસ જ તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થયો છે. ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો પાટણમાં 41.3, રાજકોટમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.6, ડીસામાં 40.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.</p> <p>દિલ્હીમાં પડશે વરસાદ, યુપી-પંજાબ-હરિયાણામાં મળશે ગરમીથી રાહત, જાણો લેટેસ્ટ અપડેટ</p> <p>રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજથી આગામી કેટલાક દિવસો સુધી ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં આજ (24 મે) થી 27 મે સુધી વરસાદની સંભાવના છે. દિલ્હીના હવામાનનો ઉલ્લેખ કરીને IMD એ &nbsp;કહ્યું તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આ સાથે IMDએ પણ રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.</p> <p>ઉત્તર પ્રદેશમાં કેવું રહેશે હવામાન?</p> <p>ઉત્તર પ્રદેશના હવામાન પર નજર કરીએ તો આજે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. રાજધાની લખનઉ સહિત ગાઝિયાબાદ, નોઈડામાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ સિવાય ઘણા શહેરોમાં જોરદાર પવન ફૂંકાતા જોવા મળી શકે છે.</p> <p>પંજાબ અને હરિયાણામાં કેવું રહેશે હવામાન?</p> <p>IMD એ પણ બિહારમાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે 27 મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. તેવી જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ હવામાન યથાવત રહી શકે છે.</p> <p>જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં હિમવર્ષાની આગાહી</p> <p>આ સિવાય પશ્ચિમ બંગાળ, કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...