Skip to main content

Gujarat Weather: રાજ્યમાં ગરમીથી મળશે રાહત, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન


<p><strong>Weather Update:&nbsp;</strong>ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.&nbsp; આ ઉપરાંત 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.</p> <p>દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. દિલ્હીના નજફગઢમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ (24 મે)થી હવામાનમાં ફેરફાર થશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી થોડી રાહત જોવા મળશે.</p> <p>હવામાન વિભાગે આજથી (23 મે) આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત સિક્કિમમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે.</p> <p>પહાડી વિસ્તારોમાં હવામાન આવું રહેશે</p> <p>પહાડી વિસ્તારોના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હવામાન ખરાબ રહ્યું છે. કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, કાર્તિક સ્વામી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે કેદારનાથ ધામ યાત્રામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે દસ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. ભારે પવન અને કરા સાથે વાવાઝોડાની શક્યતા છે.</p> <p>ઉત્તર પ્રદેશમાં 26 મે સુધી વરસાદ ચાલુ રહી શકે છે</p> <p>વાસ્તવમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન ક્ષેત્રનું હવામાન બદલાઈ ગયું છે. આજે સાંજથી રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે, ત્યારબાદ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવો વરસાદ પડી શકે છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં 26 મે સુધી હળવાથી મધ્યમ વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.</p> <p>ગુજરાતમાં કાળઝાળ ઉનાળો કેર વર્તાવી રહ્યો છે અને છેલ્લા બે સપ્તાહથી તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. કાળઝાળ ગરમીને પગલે અમદાવાદની સરકારી અને ખાનગી બ્લડ બેંકમાં 25 ટકા જેટલું બ્લડ ડોનેશન ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં હાલ 30 સરકારી અને 150 ખાનગી એમ કુલ 180 બ્લડ બેંક આવેલી છે. સૌથી ઓછી સરકારી બ્લડ બેંક હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચના 15માં પણ નથી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 111, તામિલનાડુમાં 106 જ્યારે પશ્ચિમ બંગાળમાં 105 બ્લડ બેંક આવેલી છે. આમ, ગુજરાતમાં ઓછી બ્લડ બેંક વચ્ચે ઉનાળાને પગલે બ્લડ ડોનેશન ઉપર પણ બ્રેક વાગી ગઇ છે. ઓછા બ્લડ ડોનેશનને પગલે વિશેષ કરીને થેલેસિમિયાના દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. બ્લડ ડોનેશનની ઘટનો સામનો સરકારી જ ખાનગી&nbsp; બ્લડ બેંકને પણ કરવો પડી રહ્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...