Skip to main content

unseasonal rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા


<p>પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા પાલનપુરના સુખબાગ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. તે સિવાય 10થી 15 સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ગઠામણ પાટીયા નજીક હોર્ડિંગ્સ તૂટ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી આગળ વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી.</p> <p>કમોસમી વરસાદે બાજરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાલનપુરના સેમોદ્રા ગામે ભારે પવન અને વરસાદથી ખેડૂતોનો પશુ શેડ ધરાશાયી થયો હતો. ભારે પવનના કારણે લોખંડની એન્ગલો વળી ગઇ હતી. લોખંડનું પતરુ વાગવાથી એક ગાયનું મોત થયુ હતું અને અનેક જગ્યાઓ વૃક્ષો ધરાશાયી થયા હતા. દાંતા તાલુકામાં વસી ગામ રોડ ઉપર ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. દાંતા તાલુકામાં બાજરી અને કેરીઓના પાકને ભારે નુકસાન થયું હતું.</p> <p>બીજી તરફ મોડાસામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. વીજપોલ ધરાશાયી થતા જીઇબી કચેરીથી ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ બંધ થયો હતો. માલપુર રોડ પર સાંઈ મંદિર પાસે તેમજ કોલેજ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. <br /><br />વડોદરાના વાઘોડિયામા તોફાની વરસાદે અનેક મકાનોની છત ઊડાવી હતી. માડોધર રોડપર અનેક વૃક્ષો ધરાશાયી થતા ગોરજમુની સેવા આશ્રમ રોડ બંધ થયો હતો. વાઘોડિયામાં હોડિંગ્સ અને બેનરો તૂટી પડવાની ઘટના નોંધાઇ હતી.</p> <h3 class="article-title ">Ahmedabad: કમોસમી વરસાદના કારણે રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી</h3> <p>અમદાવાદઃ અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.</p> <p>અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો</p> <p><strong>Ahmedabad Rain:</strong>&nbsp;અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે પવન સાથે કરા પડતા હોવાના અનેક દ્રશ્યા સામે આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રંટનો વિડીયો પણ સામે આવ્યો છે. રિવરફ્રંટમાં તોફાની દરિયા જેવા મોજા ઉછળતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે આધિકારિક પુષ્ટિ થઈ નથી.&nbsp;</p> <p>આ ઉપરાંત ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા 2 ઈંચ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં &nbsp;સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપર વાસના બેરેજના 4 દરવાજા 07:00 વાગ્યાથી ખોલી 6000 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવેલ છે. જ્યારે નારણપુરા ભાવિન ચાર રસ્તામાં વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા 3 થી 4 ગાડીઓને નુકશાન થયું છે. ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો હેરાન પરેશાન થયા છે.</p> <h4 class="article-title ">Gujarat: રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ</h4> <p><strong>ગાંધીનગર:</strong>&nbsp;રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ &nbsp;કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે. &nbsp;આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. &nbsp; આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30 મેના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે.&nbsp;&nbsp;</p> <p><strong>પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો</strong></p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. &nbsp; બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. &nbsp; હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. &nbsp; હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. &nbsp; ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.&nbsp;&nbsp;</p> <p>પાટણમાં પણ હળવા પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. &nbsp;દિવસભરના ઉકળાટ બાદ હારીજમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...