Skip to main content

Gujarat Rain: બારડોલીની મીંઢોળા નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, 100થી વધુ ઘરોમાં ઘૂસ્યા પાણી


<p style="text-align: justify;"><strong>Gujarat Rain:</strong> ઉપરવાસમાં તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીનું જળસ્તર ખુબ જ વધી ગયું છે. જેને લઈ બારડોલી રામજી મંદિરથી હાઇવે પર જતાં માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. મીંઢોળા નદી પર આવેલો લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થઈ જતા પ્રશાસન દ્વારા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. પ્રશાસન દ્વારા સાવચેતી ના ભાગ રૂપે પોલીસ પણ મુકવામાં આવી છે.&nbsp;</p> <p style="text-align: justify;"><br /><img src="https://ift.tt/xAptJI1" /></p> <p style="text-align: justify;">મીંઢોળા નદીએ રૌદ્રસ્વરુપ બતાવતા બારડોલી નગર પ્રભાવિત થયું છે. નદીના પાણી નગરના નીચાણવાળા ભાગોમાં પ્રવેશ્યા છે. કોર્ટની સામે આવેલા ખાડામાં પાણી ભરાયા છે. અહીં 30 થી વધુ પશુપાલકો વસવાટ કરે છે. તમામ સુરક્ષિત સ્થળે ખસી જતા જાનહાની તળી છે.</p> <p style="text-align: justify;"><br /><img src="https://ift.tt/8E7X90Z" /></p> <p style="text-align: justify;">તો બીજી તરફ બારડોલી રાજીવ નગરના 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાત્રે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ બપોર સુધીમાં પાણી ઓસર્યા નથી. લોકો રાત્રે 1 વાગ્યાથી પાણીમાં રહેવા મજબુર બન્યા છે. બારડોલી ખાતેથી વહેતી મીંઢોળા નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. રામજી મંદિરની બાજુમાં આવેલ લો લેવલ કોઝવે પરથી પાણી પસાર થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સામેના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. લોકો પોતાના જીવનો વિચાર કર્યા વિના પાણીના વહેણમાં કૂદતાં હોવાથી એનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ તેમજ પોલીસનો કાફલો હાલ લો લેવલ બ્રિજ ખાતે તેનાત કરવામાં આવ્યો છે.</p> <h4 class="article-title ">ઢાઢર અને ઓરસંગ નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના</h4> <p>હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 24 કલાક બાદ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડશે. છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સોમનાથ, અમરેલી, ભાવનગર પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે.</p> <p>&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/jbwTqhY4eac" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાના ઢાઢર અને ઓરસંગ નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નદીમાં પૂરની સ્થિતિમાં પાર કરવાનું દુઃસાહસના કરવા અપીલ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના ૩39 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા કલેક્ટર અતુલ ગોર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.<br /><br />કલેક્ટર દ્વારા જણાવાયું છે કે, ભારતીય વેધશાળા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે, વડોદરા તથા પંચમહાલ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. &nbsp;ઉક્ત સ્થિતિમાં વરસાદ પડવાથી ઓરસંગ અને ઢાઢર નદીમાં વધુ પૂર આવવાની શક્યતા છે. તેથી આ નદીના હેઠવાસમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચિત કરવામાં આવે છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે નદીમાં ઉતરવાનું દુઃસાહસ ના કરવા અપીલ છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...