Skip to main content

રાજ્યમાં આગામી 2થી 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે


<p><strong>Gujarat Rain:</strong> વિરામ બાદ ફરી એક વખત ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 2થી 3 દિવસ વરસાદ પડવાની સંભાવના છે. આજે રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે જ્યારે આવતીકાલે વરસાદની ગતિ વધે તેવી શક્યતા છે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદ પડશે.</p> <p>હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં હડવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં છુટોછવાયો ભારે વરસાદ રહી શકે છે.</p> <p>બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની છે તેના કારણે વરસાદી માહોલ બન્યો છે. હાલ સુધી રાજ્યમાં 29 ટકા વધુ વરસાદ સાથે રાજ્યમાં 94 ટકા વરસાદ નોંધાયો છે. જોકે ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ પડ્યો છે.</p> <p>આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી હવામાનની પેટર્ન ઘણી બદલાઈ રહી છે, જેના કારણે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક તડકો છે. ડુંગરાળ વિસ્તારોમાં કમોસમી વરસાદે સ્થિતિ એટલી બગડી છે કે હવે ભૂસ્ખલન જેવી ઘટનાઓએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હિમાલયના ભાગોમાં બપોરે વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ઘણા માર્ગો બ્લોક થઈ ગયા હતા.</p> <p>હવામાન વિભાગ (IMD) અનુસાર, મધ્યપ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધી વીજળી અને ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બિહાર અને ઓરિસ્સા, ઝારખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે. તે જ સમયે, કર્ણાટક અને કેરળમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ચોમાસાની સ્થિતિ નબળી રહેવાની શક્યતા છે.</p> <p>ચોમાસાના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં થોડા દિવસો માટે વરસાદ બંધ રહ્યો હતો. હવે ફરી મુશળધાર વરસાદનો સમયગાળો શરૂ થવાનો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આજથી એટલે કે 17 ઓગસ્ટથી પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં ફરી એકવાર મુશળધાર વરસાદની ગતિવિધિઓ વધવાની છે. આ સિવાય અન્ય ભાગોમાં આગામી ચાર-પાંચ દિવસ ખૂબ ઓછો વરસાદ પડશે.</p> <p>મધ્યપ્રદેશમાં ફરી એકવાર વરસાદની મોસમ શરૂ થવા જઈ રહી છે. આ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે આજથી હવામાનમાં પલટો આવશે અને એક-બે દિવસ પછી સારો વરસાદ જોવા મળશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...