Skip to main content

Dakor: ડાકોરમાં દેશભરના ભક્તો માટે દર્શન માટે શું બનાવાયો નવો નિયમ ? જાણો વિગત


<p><strong>Dakor News:</strong> ડાકોરનું રણછોડરાય મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર છે. વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવામાં આવતા વિવાદ થયો છે. આ દરમિયાન ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન માટે 6 શ્રેણીઓમાં આવતા લોકો માટે નિશુલ્ક દર્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સિનિયર સિટીઝન &nbsp;અને ગર્ભવતી મહિલાઓ નિશુલ્ક દર્શન કરી શકશે. અન્ય મહિલાઓ 250 રૂપિયા ભરી દર્શન કરી શકશે. સન્મુખ દર્શનના રૂપિયા ભક્તોની સુવિધા માટે વપરાશે. ભવિષ્યમાં ઓનલાઈન નોંધણી કરીને દર્શન કરી શકશે. ઉપરાંત નિયત કરેલી સંખ્યામાં સન્મુખ દર્શન થશે.</p> <p>તાજેતરમાં ડાકોર મંદિરમાં 500 રૂપિયા ચૂકવી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે મુજબ 500 રૂપિયા ચૂકવી ભક્તો સન્મુખ દર્શન કરી શકે છે. આ સાથે જ મહિલાઓ માટેની જાળીમાંથી જો પુરુષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચૂકવવા પડે છે. ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાકોર વિવાદમાં થોડા દિવસ પહેલા સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેનાએ ઝંપલાવ્યું હતું. સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેના દ્વારા આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઠાસરા પ્રાંત અધિકારીને કેટલીક રજૂઆતોનું આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો.</p> <p><br /><img src="https://ift.tt/sB1xVtJ" /></p> <p>હિંદુ સંગઠનોએ આ નિર્ણય સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો અને ભક્તોમાં ભેદ ન કરવા માગ કરી હતી અને નિર્ણય પરત ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ કરણી સેના પણ મેદાનમાં આવી અને રૂપિયા લઈને VIP દર્શન બંધ કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમા VIP દર્શન બંધ કરવા સહિત અધિકારીને વિવિધ સાત માગની રજૂઆત કરાઈ હતી.</p> <p>આ વિરોધ સમિતિએ રૂપિયા લઈને ડાકોરમાં VIP દર્શન બંધ થવા જોઈએ. સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ હોવી જોઈએ, બોડાણાજીનું પુરાતન મંદિરનો વિકાસ અને બોડાણાજીના વંશજમાંથી એક વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે, ડાકોર મંદિરમાં સારુ અન્નક્ષેત્રનું નિર્માણ થાય,ગોમતી ઘાટની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે, ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગનું નામ બોડાણા રાખવામાં આવે તેવી માંગ કરી હતી.</p> <p><strong>આ પણ વાંચોઃ</strong></p> <p><strong><a title="Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન ? જાણો" href="https://ift.tt/neyBvcA" target="_self">Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન ? જાણો</a></strong></p> <p><strong><a title="પ્રેમિકાની Kiss થી પ્રેમી થઈ ગયો બહેરો, ફાટી ગયા કાનના પડદા" href="https://ift.tt/RE1ZGVA" target="_self">પ્રેમિકાની Kiss થી પ્રેમી થઈ ગયો બહેરો, ફાટી ગયા કાનના પડદા</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...