Skip to main content

સ્પાની આડમાં અનૈતિક પ્રવૃતિ પર લગામ, પોલીસના રાજ્યભરમાં સ્પા પર દરોડા


<p>Raids On Spa: રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે. &nbsp;સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. &nbsp;</p> <p>સુરતમાં SOG, મહિલા પોલીસ અને ક્રાઈમબ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એકસાથે અલગ- અલગ વિસ્તારમાં 50 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના સરથાણા, મોટા વરાછા, કાપોદ્રા, અમરોલી, વેસુ, ડુમ્મસ રોડ, પીપલોદ, VIP રોડ, અલથાણ, ભીમરાડ, ડીંડોલી, રાંદેર સહિતના વિસ્તારમાં તપાસ કરાતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.</p> <p>પોલીસે કાર્યવાહી દરમિયાન દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી 30 યુવતીને મુક્ત કરાવી હતી. ભાડાની દુકાનોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં વિદેશી યુવતીઓને બોલાવી વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.</p> <p>આ તરફ ગીર સોમનાથમાં હોટલ અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા પોલીસે સ્પેશલ ડ્રાઈવ યોજી છે. 21 સ્થળે પોલીસની 10 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે આ દરમિયાન ક્યાંયથી પણ દેહવ્યાપારની પ્રવૃતિ મળી આવી ન હતી.</p> <p>આ તરફ મોરબીમાં અફીમ સ્પાની આડમાં કૂટણખાનું ધમધમતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે સંચાલકની ધરપકડ કરી જ્યારે મુખ્ય સૂત્રધાર મહેશ મેવા ફરાર થઈ ગયો છે. આ તરફ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના 25 જેટલા સ્પામાં તપાસ કરી છે. આ દરમિયાન ત્રણ સ્થળે જાહેરનામાનો ભંગ થતા કાર્યવાહી કરવામાં આવી છે.</p> <p>મોરબીની માફક જ બોટાદમાં પણ પોલીસના ચેકિંગમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પાના મેનેજર અને અન્ય બે વ્યકિતની ધરપકડ કરી છે. જ્યારે અંકલેશ્વરમાં પાંચ જેટલા સ્થળોએ સ્પામાં પોલીસે તપાસ કરી છે. અહીં ગેરકાયદેસર પ્રવૃતિ ધમધમતી હોવાની ફરિયાદ મળી હતી. જોકે પોલીસના ચેકિંગ દરમિયાન કંઈ હાથ લાગ્યું ન હતું.</p> <p>આ તરફ ભાવનગર પોલીસે વાઘાવડી રોડ પર 20થી વધુ સ્પામાં ચેકિંગ કર્યું છે. જોકે ક્યાંયથી અનૈતિક પ્રવૃતિ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.</p> <h4><strong>આ પણ વાંચોઃ</strong></h4> <h4><a title="24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે એટેકના કિસ્સા વધ્યા" href="https://ift.tt/mtYnkcj" target="_self">24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે એટેકના કિસ્સા વધ્યા</a></h4> <h4><a title="16 ડિવિઝનમાં 331 કટકીબાજ કંડક્ટર ઝડપાયા, 2883 મુસાફરો ટિકિટ વગર ઝડપાયા" href="https://ift.tt/BUTNShn" target="_self">16 ડિવિઝનમાં 331 કટકીબાજ કંડક્ટર ઝડપાયા, 2883 મુસાફરો ટિકિટ વગર ઝડપાયા</a>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</h4>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...