Skip to main content

Gujarat: એસટી કર્મચારી સંગઠનની વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક, સમાધાન અંગે શુ લેવાયો નિર્ણય ?


<p><strong>ગાંધીનગર:</strong> એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે-સાથે સરકારના સચિવ અને અધિકારીઓની ઉપસ્થિતમાં થયેલી આ બેઠકમાં કર્મચારીઓની ત્રણ અલગ-અલગ માંગ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.&nbsp;</p> <p>સકારાત્મક માહોલમાં આ ચર્ચા દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગોના નિકાલને લઈ સરકારનો હકારાત્મક પ્રત્યુતર આવતા એસટી કર્મચારી મંડળ સાથે સમાધાનના સ્પષ્ટ સંકેત મળ્યા છે. પડતર પ્રશ્નોના સમાધન પહેલા એસટી કર્મચારી સંગઠને ખુશી વ્યક્ત કરી છે. મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ પદાધિકારીઓની મોડી રાત સુધી અમદાવાદના રાણીપ ડેપો પર બેઠક મળી હતી. &nbsp;જેમાં આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો છે.&nbsp;&nbsp;</p> <p>એસટી કર્મચારીઓની નાણાંકીય બાબતો અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા તંત્ર દ્વારા ખાતરી આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી એસટી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને લડત આપી રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા 23 ઓક્ટોમ્બરથી 2 નવેમ્બર સુધી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ વિવિધ કાર્યોક્રમો પણ રાખવામાં આવ્યા હતા.&nbsp;</p> <p>એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી હડતાળ કુલ 7 જેટલા મુદ્દાઓને લઈને કરવામાં આવી હતી. 11 ટકામાંથી 7 ટકા મોંઘવારી ભથ્થું આપ્યું જેનો વિરોધ કરવાને લઈ હડતાળ કરવામાં આવી હતી. આ સાથે જ આ અગાઉની જાહેરાત પ્રમાણે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ 3 હપ્તામાં આપતા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. હાઉસ રેન્ટ એલાઉન્સ અને સીટી એલાઉન્સ આપવામાં ન આવતુ હોવાથી પણ હડતાળમાં વિરોધ નોંધાવામાં આવ્યો હતો.</p> <p><br />વર્ષ પૂર્ણ થવા છતાં નવા વર્ષનું બોનસ એસટી વિભાગના કર્મચારીઓને આપવામાં આવ્યું ન હતુ. ગત દિવાળીનું બોનસ આ દિવાળી આવવા છતાં નહિ મળતા &nbsp;કર્મચારીઓમાં રોષ ભરાતા હડતાળ કરવામાં આવી હતી. 7 માં પગાર પંચ મુજબ ઓવરટાઈમ આપવાના બદલે છઠ્ઠા પગાર પંચ મુજબ અપાય છે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 મહિનાથી પત્ર વ્યવહાર કરાય છે છતાં નિકાલ ન આવતા આંદોલન જાહેર કરવામાં આવ્યુ હતું.</p> <p>કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં 23 ઓક્ટોબરે કર્મચારી કાળી પટ્ટી પહેરી કામ કરી વિરોધ હતો. તેમજ દરેક ડેપો ખાતે આવેદનપત્ર આપ્યા હતા.&nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...