Skip to main content

Posts

Showing posts from December, 2023

Startup: ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ વગાડ્યો ડંકો,રાજ્યના 9100થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા

<p style="text-align: justify;"><strong>ગાંધીનગર:</strong> વ્યાપાર-ધંધાની વાત આવે ત્યાં ગુજરાતીઓનું નામ ન આવે એવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે. સદીઓથી ગુજરાતીઓની આ એક સર્વમાન્ય છાપ રહી છે, જેને આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. છેલ્લા બે દશકામાં ગુજરાતીઓએ વિશ્વ સમક્ષ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે.</p> <p style="text-align: justify;">ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા. કોઈને રોજગારી મળી, તો કોઈને પ્રેરણા. રોકાણો અને નોલેજ શેરીંગ વધતા ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા પણ વધી. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે કામ કરવામાં રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને હિસ્સેદારોના સમર્થનની સહજ શક્તિને પરિણામે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "...

GIFT City Liquor: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ક્યાં નિયમો સાથે વેચી શકાશે દારૂ, સરકારે જાહેર કરી ગાઇડ લાઇન

<p><strong>Gujarat Govt Liquor Policy:</strong>&nbsp;ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં, 'ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી' (ગિફ્ટ સિટી) વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા જ દારૂ પીવાના નિયમો હળવા કરવામાં આવ્યા હતા. તે જ સમયે, હવે રાજ્ય સરકારે ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, તેથી તેને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પી શકશે અને વેચી શકાશે, આ માટે નિયમો શું છે જાણીએ.</p> <p>નિયમો હેઠળ ગિફ્ટ સિટીમાં કોઇ પણ જો દારૂ વેચવા કે પિરસવા ઇચ્છે તો તેમને FL-III લાયન્સ લેવું પડશે. તેના માટે ફોર્મ Aમાં નિષેધ અને ઉત્પાદ શુલ્ક અને ઉત્પાદ અધીક્ષક,ગાધીનગરને અપ્લાય કરવાનું રહેશે. આ ફોર્મના વેરિફિકેશન બાદ નિષેધ અને ઉત્પાદન શુલ્ક અધિક્ષક તેમની ભલામણ સાથે આ પ્રસ્તાવને લાયસન્સ આપવાના નિર્ણય માટે ડાયરેક્ટર દ્રારા ગિફ્ટ ફેસિલેશન કમિટીની પાસે મોકલાશે. કમિટીની મંજૂરી બાદ જ અધિક્ષક FL-III લાયસન્સ ઇસ્યૂ કરશે.</p> <p><str...

Gujarat Corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દી થયા સંક્રમિત, જાણો ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ

<p><strong>Gujarat Corona:</strong>કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1એ ફરી એકવાર સંક્રમિતોની સંખ્યામાં વધારો કર્યો છે. આ વરિયન્ટની અસર માઇલ્ડ હોવાનું નિષ્ણાતનું તારણ છે પરંતુ વધુ સ્પ્રેડ થતો હોવાથી સંક્રમિત વધુ લોકોને કરે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર પહોંચી.&nbsp; જ્યારે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને મ્હાત આપી રિકવર થયા છે.</p> <p>દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 7 મહિના પછી, ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800 ની નજીક પહોંચી ગઈ છે. નવા પ્રકાર JN.1 ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જો કે હવે દિલ્હીમાં પણ નવા વેરિઅન્ટ JN.1 નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિષ્ણાતો લોકોને &nbsp;સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિ...

Gujarat Weather: રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, તાપમાન પારો ગગડવાનો હવામાન વિભાગનું અનુમાન

<p><strong>Gujarat Weather:</strong>રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. માત્ર મોડી રાત્રે અને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થાય છે ત્યારબાદ ગરમી રહે છે. સરેરાસ માટો ભાગના શહેરોમાં 17 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગે&nbsp; 5 જાન્યુઆરી બાદ ઠંડી પડવાના સંકેત આપ્યાં છે. 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડી અનુભવાશે.</p> <p>&nbsp;જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે &nbsp;આગાહી કરી છે. હાલ નલિયા, પોરબંદર અને પાટનગર ગાંધીનગરમાં 15 ડિગ્રીથી નીચે લધુતમ તાપમાન નોંધાયું છે. તો ભૂજ, રાજકોટ, અમરેલીમાં તાપમાનનો પારો ગગડીને 16 ડિગ્રીની નીચે પહોંચ્યો છે.</p> <p>અમદાવાદમાં સતત ચોથા દિવસે લધુતમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું હોવાથી નહિવત ઠંડી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 5 જાન્યુઆરી બાદ અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.</p> <p>તો બીજી તરફ રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં એક સપ્તાહથી ગા...

Gujarat News : બહુચરાજીના એડલા ગામ પાસે ક્રિકેટ રમવા મુદ્દે થઈ જૂથ અથડામણ

<p>Gujarat News : બહુચરાજીના એડલા ગામ પાસે ક્રિકેટ રમવા મુદ્દે થઈ જૂથ અથડામણ&nbsp;</p>

Budget Session: ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત, આગામી 1લી ફેબ્રુઆરીથી શરૂ થશે, જાણો ક્યારે રજૂ થશે બજેટ ?

<p><strong>Gujarat Budget Session 2024</strong>: ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરીથી, નવા વર્ષે બજેટ સત્રની શરૂઆત થવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1લી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે, આ વાતની જાણકારી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી છે. અધ્યક્ષે હાલમાં જ ગુજરાત વિધાનસભાના ચોથા બજેટ સત્રના જાહેરાત કરી છે. ખાસ વાત છે કે ડિજીટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઇન પુછશે, આની સાથે સાથે 2જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાત બજેટ પણ રજૂ થશે.&nbsp;</p> <p>ગુજરાત વિધાનસભાની આગામી બજેટ સત્ર 1લી ફેબ્રુઆરીથી મળવાનું છે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વાતની જાણકારી આપી છે કે, આગામી 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે, તેમની ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરી છે. શંકર ચૌધરીએ માહિતી આપી છે કે, આ વખતે ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે, અને આગામી 2જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે.&nbsp;</p> <p>ગુજરાતના રાજ...

GUJARAT NEXT: અમદાવાદની લાઈફલાઈન જન જનને જોડશે:મેટ્રો ફેઝ- 2નો 28 કિમી રૂટ રાજ્યની આર્થિક રાજધાનીને ગુજરાતની રાજધાનીને જોડશે, જુઓ કામગીરીનો ધમધમાટ

https://ift.tt/Oj1PTfQ

Gujarat Corona: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકો થયા સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 48 પર

<p><strong>Gujarat Corona</strong>: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. નવા 12 કેસ નોંધાતા &nbsp;એક્ટિવ કેસની સંખ્યા વધીને &nbsp;48 &nbsp;પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં આઠ દર્દીઓએ કોરોનાને માત આપી છે.</p> <p>નવા આઠ કેસ સાથે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 48 પર પહોચી છે. નવરંગપુરા, બોડકદેવ, મણીનગર, વટવા, પાલડીમાંથી કોરોના સંક્રમિત વધુ છે અહી આ વિસ્તારના કોરોના ટેસ્ટ વધુ પોઝિટિવ આવ્યા છે. નવા નોંધાયેલા આઠ પૈકી એક દર્દીની આણંદ તો એક દર્દીની વિસનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે.</p> <p><strong>કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ</strong></p> <p>રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે કોવિડ ટેસ્ટની સંખ્યામાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. હવે જેટલા વધુ આરટીપીસીઆર પરીક્ષણો કરવામાં આવશે, કોવિડના વધુ કેસ વધશે. તેથી, ગભરાશો નહીં કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં સુધી ચેપગ્રસ્ત લોકોમાં આ રોગ ગંભીર રીતે જોવામાં આવતો નથી, ત્યાં સુધી ચિંતાનું કો...

લોકસભા ચૂંટણીની તૈયારીને લઈ આજથી બે દિવસ કમલમમાં પ્રદેશ ભાજપની બેઠક

<p><strong>Gujarat BJP:</strong> ગુજરાત ભાજપે 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તેના&nbsp; ભાગ રૂપે આજથી બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 29 અને 30 ડિસેમ્બરનાં રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક મળશે. સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી અને પ્રવક્તા પેનલ બેઠકને અપાશે માર્ગદર્શન. કેન્દ્ર સરકારની યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.</p> <p>આ બેઠકમાં 26માંથી 26 બેઠકો પાંચ લાખના અંતરથી જીતવાનો સંકલ્પ લેવામાં આવશે. દરેક વોર્ડ અને બુથમાં જનમત કેવી રીતે વધારી શકાય તે અંગે મંથન કરવામાં આવશે. મહિલા અને યુવા મતદાતાઓને પક્ષ સાથે જોડવાનું આયોજન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં પક્ષનો વોટ શેયર વધારવાની રણનીતિ ઘડવામાં આવશે. PM મોદીની ગેરન્ટીના સૂત્ર સાથે જનમત મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ...

Gujarat News : ગિફ્ટ સિટી બાદ અન્ય ઠેકાણે દારૂબંઘીમાં છૂટછાટના સંકેત

<p>Gujarat News : ગિફ્ટ સિટી બાદ અન્ય ઠેકાણે દારૂબંઘીમાં છૂટછાટના સંકેત</p>

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, વેપારીઓએ ગ્રાહકોને લૂંટ્યા, ખેડૂત દ્વારા 5 રૂપિયે કિલો વેચાતી ડુંગળી ગ્રાહકો સુધી પહોંચતા 40 રૂપિયા થઈ

<p><strong>Onion Price In Gujarat:</strong> &nbsp;ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે. ડુંગળીના ભાવ તળિયા આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે. નિકાસબંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેંચી રહ્યા છે. પરંતુ તે જ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે. ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓના ખિસ્સામાં 35 રૂપિયા જાય છે.</p> <p>ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસબંધી પહેલા 700થી 800 રૂપિયે મણ વેચાતી હતી. પરંતુ તેના હવે 100 રૂપિયા પણ મળી રહ્યા નથી. પરંતુ નફાખોરી કરીને છુટક બજારમાં વેપારીઓ ઉંચા બાવ લઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર નિકાબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર પોષણક્ષમ ભાવ આપે.</p> <p>રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવત થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1....

રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત, જાણો વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

<p><strong>Gujarat Weather:</strong> રાજ્યમાં હાલ કડકડતી ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 48 કલાક સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. જો કે 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં એક ડિગ્રી વધવાની સાથે ઠંડીમાં આંશિક ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છેલ્લા થોડા દિવસથી અમદાવાદમાં છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણને પાછળ ભેજવાળુ વાતાવરણ જવાબદાર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. તો હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નથી. નલિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.</p> <p>હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 દિવસમાં દક્ષિણના રાજ્યો તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.</p> <p>રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો હાલમાં ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ગાઢથી ખૂ...

Gujarat Board Exam | વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર કરવા માટે શું કરાઈ વ્યવસ્થા?, જુઓ વીડિયોમાં

<p>Gujarat Board Exam | વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર કરવા માટે શું કરાઈ વ્યવસ્થા?, જુઓ વીડિયોમાં</p>

Gujarat: જેટકો પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી, છ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

<p>Gujarat: &nbsp;ભરતી પરીક્ષાના વિવાદ બાદ જેટકોએ મોટી કાર્યવાહી કરી હતી.&nbsp; મળતી જાણકારી અનુસાર, પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે જેટકોના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં મહેસાણા, ધાનેરાના અધિકારીઓની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડેડ અધિકારીઓમાં મહેસાણા ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરાના કાર્યપાલક ઈજનેર એસ.આર. યાદવ, મહેસાણાના કાર્યપાલક ઈજનેર બી.જે. ચૌધરી ઉપરાંત અન્ય ત્રણ અધિકારીનો સમાવેશ થાય છે. &nbsp;પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ, જેટકો તથા સરકારની થયેલી બદનામી મુદ્દે અધિકારીઓને જવાબદાર ઠેરવી ચીફ એન્જિનિયર એ.બી. રાઠોડે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.</p> <p>જેટકોના એમડી સાથેની બેઠક નિષ્ફળ જતા આંદોલન ઉગ્ર બન્યુ હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારોએ જેટકોના એમડીને રજૂઆત કરી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી. બાદમાં હવે ઉમેદવારોએ જાહેરાત કરી હતી કે &nbsp;હવે પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન કરાશે.</p> ...

Gujarat Board Exam | 16 માર્ચથી શરૂ થશે ધો-10ની પરીક્ષા, વિદ્યાર્થીઓની લેવાશે પ્રિ-બોર્ડ પરીક્ષા

<h1 class="style-scope ytd-watch-metadata">Gujarat Board Exam | 16 માર્ચથી શરૂ થશે ધો-10ની પરીક્ષા, વિદ્યાર્થીઓની લેવાશે પ્રિ-બોર્ડ પરીક્ષા</h1>

Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ તારીખે આવશે ગુજરાત, આ વિસ્તારમાં કરશે જનસભા

<p><strong>અમદાવાદ:</strong> આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ પહેલા સંદીપ પાઠકે AAPના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેમને આશ્વાસન આપ્યું કે પાર્ટી તેમની સાથે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે. આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. ગુજરાત AAPના પ્રભારી સંદીપ પાઠકે આ અંગે માહિતી આપી છે.&nbsp;</p> <p>ત્યારબાદ સંદીપ પાઠકે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ-અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. ચૂંટણીની રણીનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે તેની સમક્ષી કરી હતી.&nbsp;</p> <p>ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટી નવા ઉત્સાહ સાથે ફરી મેદાનમાં ઉતરશે. આપ દ્વારા ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા અગાઉથી...

અંબાલાલ પટેલની મોટી આગાહી, જાન્યુઆરીમાં આ તારીખે પડશે માવઠું, જાણો ક્યા વિસ્તારમાં વરસાદની છે શક્યતા

<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 31મી ડીસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. અમદાવાદના વિસ્તારમાં 15 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની શક્યતા છે. તો 29થી31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર રહેશે. 1લી જાન્યુઆરીથી દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 25થી30 ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે. જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનાર વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે. અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર 1થી 5 જાન્યુઆરીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું&nbsp;થવાની&nbsp;શક્યતા છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 28 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p> <p>રાજધાન...

CM Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો સરકારના 4 વિભાગની 5 એપ્લિકેશનનો પ્રારંભ

<p>CM Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો સરકારના 4 વિભાગની 5 એપ્લિકેશનનો પ્રારંભ&nbsp;</p>

Visa Scandal: અમદાવાદમાં ચાલતુ હતુ મોટી-મોટી યૂનિ.ના નકલી સર્ટી બનાવી આપીને વિદેશ મોકલવાનું કૌભાંડ, CIDએ કર્યો પર્દાફાશ

<p><strong>Gujarat Crime News:</strong> છેલ્લા કેટલાક દિવસોમાંથી રાજ્યમાં સીઆઇડી ક્રાઇમ પોલીસ એક્શનમાં આવી છે. વિદેશમાં નોકરીની લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકીનો એક પછી એક મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ રહ્યો છે. આજે સીઆઇડીએ અમદાવાદના વધુ એક વિઝા કન્સલટન્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ લોકો જુદીજુદી યૂનિવર્સિટીઓના નકલી પ્રમાણપત્રો આપીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતા હતા.</p> <p>સીઆઈડી ક્રાઈમે રાજ્યની વિવિધ ઈમીગ્રેશન ફર્મ પર પાડેલા દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આઉટ સૉર્સ ઇન્ડિયા ફર્મના સંચાલકો સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિજય ચાર રસ્તા પાસે આવેલા આઉટ સૉર્સ ઇન્ડિયા નામની ઓફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસને મોટા પ્રમાણમાં બનાવટી પ્રમાણપત્રો અને ગેઝેટ્સ તેમજ અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમે કાર્યવાહી કરી, આ શખ્સો યુવાનો પાસેથી લાખો રૂપિયા લઇને યુવકોને ગેરકાયદેસર રીતે ઇગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા મોકલવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.</p> <p>પોલીસે દરોડાની કામગીર...

CID Raid: સીઆઇડી એક્શનમાં, વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે નોંધી ફરિયાદ, જાણો મામલો

<p><strong>Gujarat CID Crime Raid:</strong> રાજ્યમાં વધુ એકવાર સીઆઇડી ક્રાઇમ પોલીસે દરોડાની સાથે સાથે ફરિયાદની પણ કાર્યવાહી શરૂ કરી છે. વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે. CID ક્રાઈમે 17 ટીમો બનાવી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે આ કાર્યવાહીમાં વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધાઇ છે.&nbsp;</p> <p>હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર અમદાવાદ સહિત કેટલાય સ્થળો પર CID ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આમાં હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ દરોડા બાદ CID ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધી છે. વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સીઆઇડીએ ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ, અમદાવાદના નિરવ મહેતા એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમ્રેન્દ્ર ઉ...

Gujarat Rain: ગુજરાતમાં આ જગ્યાએ પડશે કમોસમી વરસાદ, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી વિશે

<p><strong>અમદાવાદ:</strong> હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 2024ની શરૂઆત થતાં જ ગુજરાતમાં માવઠું પડશે. &nbsp;1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો પરેશાન છે. આ વરસાદથી પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે. &nbsp;</p> <p>નવા વર્ષની શરુઆતની સાથે જ 2024ની શરૂઆતમાં જ વરસાદની આગાહીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે. અંબાલાલે આગાહી કરી છે કે, 1થી5 જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસશે. બાદમાં વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે, 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.</p> <p>હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે.&nbsp; આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. વધુમાં કહ્યું કે, જેના ક...

Gujarat Weather : રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વાતાવરણમાં આવી શકે છે પલટો

<p>Gujarat Weather : રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વાતાવરણમાં આવી શકે છે પલટો&nbsp;</p>

Corona Gujarat : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા 24 કલાકમાં આવ્યા 9 કેસ

<p>Corona Gujarat : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા 24 કલાકમાં આવ્યા 9 કેસ&nbsp;</p>

Gujarat News : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ

<p>Gujarat News : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ&nbsp;</p>

GUJARAT NEXT: દેશને ગુજરાતની 'ગિફ્ટ':સિંગાપોર, શાંઘાઇને પછાડશે ગિફ્ટ સિટી, બેંક ઓફ અમેરિકા, JP મોર્ગન, IBMની છે ઓફિસ

https://ift.tt/Tz0jpaO

Gujarat | ખનન માફિયાઓએ ભૂસ્તર શાસ્ત્રીઓની જાસૂસી કરવા માટે કર્યું કંઈક આવું... જુઓ વીડિયો

<p>Gujarat | ખનન માફિયાઓએ ભૂસ્તર શાસ્ત્રીઓની જાસૂસી કરવા માટે કર્યું કંઈક આવું... જુઓ વીડિયો&nbsp;</p>

Corona In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના આવ્યા નવા 11 કેસ

<p>Corona In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના આવ્યા નવા 11 કેસ&nbsp;</p>

Gujarat Corona : રાજ્ય માટે ફરી આવ્યા ચિંતાજનક સમાચાર, ફરી વધી રહ્યા છે કોરોનના કેસ

<p>Gujarat Corona : રાજ્ય માટે ફરી આવ્યા ચિંતાજનક સમાચાર, ફરી વધી રહ્યા છે કોરોનના કેસ&nbsp;</p>

Gujarat: રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન, સાંજે પાંચ વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે

<p>Gujarat: વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ રહી છે.</p> <p>1 લાખ 25 હજારથી વધુ મતદારો 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થશે. ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. વકીલો આજની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.</p> <p>સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. વડોદરામાં દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે મતદાન થઇ રહ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 41 પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વડોદરામાં 3045 મતદાતાઓ મતદાન કરશે. પ્રમુખ પદ માટે વડોદરામાં નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ટક્કર છે. કોરોનાની આશંકાના પગલે મતદાન મથક પર સેનેટાઈઝર,માસ્કની વ્યવસ્થા કરાઇ હતી.</p> <p>અમદાવાદ જિલ્લા બાર એસોસિયેશનમાં 1770 વકીલો મતદાન કરશે. સુરત વકીલ મંડળની ચૂંટણી મ...

Gujarat Political News | AAPના ધારાસભ્યોના રાજીનામા અંગે ઈસુદાન ગઢવીએ શું આપ્યું નિવેદન?

<p>Gujarat Political News | AAPના ધારાસભ્યોના રાજીનામા અંગે ઈસુદાન ગઢવીએ શું આપ્યું નિવેદન?&nbsp;</p>

Gujarat corona | કોરોનાની રિએન્ટ્રીને લઈને રાજ્ય સરકાર એલર્ટ, જાહેર કરી આવી ગાઈડલાઈન

<p>Gujarat corona | અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ વધતા ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. કોરોનાને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાનો ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.</p>

Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ વધતા ગુજરાત સરકાર એકશનમાં, માર્ગદર્શિકા કરી જાહેર

<p><strong>Gujarat Corona Updates</strong>: દેશના અન્ય રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના અંગેની નવી માર્ગદર્શિકાનો ચુસ્તપણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, જિલ્લા આરોગ્ય અધિકારીને આદેશ કરવામાં આવ્યા છે.</p> <p><strong>ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો</strong></p> <p>ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી.બંને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધેલા છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે....

Gujarat Weather: કડકડતી ઠંડીની વચ્ચે ફરી રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ

<p><strong>Unseasonal Rain Forecast:</strong> કડકડતી ઠંડીમાં ફરીએકવાર રાજ્યમાં માવઠાના વાદળો ઘેરાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.</p> <p>&nbsp;હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર અને દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.</p> <p>એટલુ જ નહીં આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થશે. કચ્છના નલિયામાં સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 15.6 ડિગ્રી પર પહોંચ્યો છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણામાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે.</p> <p>દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. ...

Gujarat News : રાજ્યમાં આવનાર દિવસોમાં હજુ પણ વધશે ઠંડીનું પ્રમાણ

<p>Gujarat News : રાજ્યમાં આવનાર દિવસોમાં હજુ પણ વધશે ઠંડીનું પ્રમાણ&nbsp;</p>

કોંગ્રેસ તૂટે છે? ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું

<p><strong>Congress MLA from Khambhat Chirag Patel:</strong> લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે મધ્ય ગુજરાતથી કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે. ચર્ચા છે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપશે.</p> <p>વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપાતું હોય છે ત્યારે ગયા અઠવાડિયાની જેમ અધ્યક્ષના કાર્યાલયની ગતિવિધી તેજ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજીનામુંઆપનાર ધારાસભ્ય સવારે 11 વાગ્યે વિધાનસભા પરિસર પહોંચનાર છે.</p> <p>182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્ય રાજીનામું આપે તો ઘટીને 16નું થઈ જશે.</p> <p>જોકે ધારાસભ્યનાં રાજીનામાનો શરૂ થયેલો આ સિલસિલો સમગ...

લોકસભા પહેલા રાજકીય ભૂકંપના એંધાણ, AAP બાદ કોંગ્રેસનાં ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

<p><strong>Gujarat Politics:</strong> લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી વિસાવદરની બેઠક ખાલી કરી હતી. તો હવે મધ્ય ગુજરાતની એક બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યાં છે.</p> <p>લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકની હેટ્રિક તે પણ દરેક બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવાનો સંકલ્પ પાર પાડવા ઓપરેશન લોટસ સોળે કળાએ ખિલ્યું છે અને ઠંડીની સિઝનમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.</p> <p>એબીપી અસ્મિતાને મળેલી જાણકારી મુજબ આજના મંગળવારનો દસથી બાર વાગ્યાનો સમય કૉંગ્રેસ માટે અમંગળ સાબિત થાય તેવી શક્યતા છે. કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે તેની જાણકારી હોવા છતા પણ રાજનીતિ જો અને તો સાથે જોડાયેલી હોય છે ત્યારે એબીપી અસ્મિતા હાલ તો આ નામ જાહેર નથી કરી રહ્યું. પરંતુ સત્તાવાર પુષ્ટી થતા જ તે નામ ચોક્કસથી આપને જાણવા મળશે.</p> <p>ભૂપત ભાયાણીના રાજીનામા બાદ 182 બેઠકો વાળી વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 181 થયું છે. જે 31 ડિસેમ્બર પહેલા વધુ ઘટશે ...

Gujarat News : શિયાળામાં લીલા શાકભાજીની આવક તો વધી પરંતુ ભાવમાં ઘટાડો નહીં

<p>Gujarat News : શિયાળામાં લીલા શાકભાજીની આવક તો વધી પરંતુ ભાવમાં ઘટાડો નહીં&nbsp;</p>

Gujarat Weather : રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, અમદાવાદમાં 24 કલાકમાં તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો

<p>Gujarat Weather : રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, અમદાવાદમાં 24 કલાકમાં તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો</p>

Gujarat News : VHP ના કેન્દ્રીય સહમંત્રીના છોટુ વસાવા પર ગંભીર આરોપ

<p>Gujarat News : VHP ના કેન્દ્રીય સહમંત્રીના છોટુ વસાવા પર ગંભીર આરોપ</p>

Gujarat Winter: રાજ્યમાં શિયાળો જામ્યો, અમદાવાદમાં એક જ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટ્યુ, નલિયા-ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુગાર

<p><strong>Gujarat Winter:</strong> રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, રાજ્યમાં આજે ઠંડો દિવસ બન્યો છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં હવે શિયાળાની ઋતુ જામી છે, અમદાવાદમાં આજે એક જ દિવસમાં 6 ડિગ્રી સુધી તાપમાનમા ઘટાડો નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં નલિયા અને ગાંધીનગર સૌથી વધુ ઠંડુ શહેર પણ બન્યુ છે.&nbsp;</p> <p>મળતી માહિતી પ્રમાણે, શિયાળાની ઋતુ રાજ્યમાં જામી છે, હાડ ગાળતી ઠંડીની શરૂઆત ધીમે ધીમે થઇ રહી છે, આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદના તાપમાનમાં આજે એક જ દિવસમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, અને 13.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગહી છે કે આગામી પાંચ દિવસમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના 14 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. ખાસ વાત છે કે, નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડા શહેર બન્યા છે, જેમાં નલિયામાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 12.6, અમદાવાદમાં 13.3, રાજકોટમાં 13.4, ભૂજમાં 14.6, કેશોદમા...

Gujarat News : રાજ્યના 3 મહાનગરોની 17 વિઝા કન્સલ્ટન્સીઓને ત્યાં પડી CIDની રેડ

<p>Gujarat News : રાજ્યના 3 મહાનગરોની 17 વિઝા કન્સલ્ટન્સીઓને ત્યાં પડી CIDની રેડ&nbsp;</p>

Gujarat Rain Forecast | ફરી તૂટી પડશે આ તારીખોમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

<p>Gujarat Rain Forecast | ફરી તૂટી પડશે આ તારીખોમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી&nbsp;</p>

Gujarat Weather | રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?

<p>Gujarat Weather | રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?&nbsp;</p>

GUJARAT NEXT: વર્લ્ડનું સૌથી મોટું ટ્રેડિંગ હબ:ડાયમંડ બુર્સે બુર્જ ખલીફા, પેન્ટાગોનને પછાડાટ આપી, વર્ષે 2 લાખ કરોડનો વેપાર, જુઓ એક ઝલક

https://ift.tt/8ecpfr6

PM Modi Gujarat Visit | PM મોદીની સુરત મુલાકાત પહેલા પાટીલે કરી મીટિંગ અને પછી..

<p>PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બરે ગુજરાતના સુરતની મુલાકાત લેવાના છે. એવામાં તેમના સ્વાગતની તૈયારીઓ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી.&nbsp;</p>

Gujarat Weather Updates | રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

<p>Gujarat Weather Updates | હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે. માવઠું પડવાની પણ કોઈ શક્યતાઓ નથી. મહિનાના અંતમાં કડકડતી ઠંડી પડશે.&nbsp;</p>

Gujarat :સૌરાષ્ટ્રમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાનું નિવેદન

<p>Gujarat :સૌરાષ્ટ્રમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન અંગે કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાનું નિવેદન</p>

Gujarat News : સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનવાના એંધાણ, મોટી સંખ્યામાં ખેડૂતો ઉતાર્યા રસ્તાઓ પર

<p>Gujarat News : સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનવાના એંધાણ, મોટી સંખ્યામાં ખેડૂતો ઉતાર્યા રસ્તાઓ પર&nbsp;</p>

Gujarat Police: પોલીસ બેઠાંમાં ફેરફાર, સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક 205 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરાઇ

<p><strong>Surendranagar Police News:</strong> ગુજરાતમાં પોલીસ બેઠામાં બદલીના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા એસપીએ આંતરિક બદલી કરીને તમામને ચોંકાવી દીધા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એસપીએ 205 જેટલા પોલીસકર્મીઓની વહીવટી સરળતા માટે આંતરિક બદલી કરી છે. જેમાં કૉન્સ્ટેબલથી લઇને પીઆઇ વર્ગના પોલીસકર્મીઓ સામેલ છે.</p> <p>મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં જિલ્લા એસપીએ અચાનક બદલી ઇશ્યૂ કરતા પોલીસ બેઠાંમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો છે. માહિતી એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લા એસપી, પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાએ વહીવટી સરળતા ખાતર સામૂહિદ બદલીના ઓર્ડર ઇશ્યૂ કર્યા છે, જેમાં 205 જેટલા પોલીસકર્માઓ સામેલ છે. જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં અલગ-અલગ પોલીસ ડિવિઝનના અંદાજે ૨૦૫ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલી સુરેન્દ્રનગર એ ડિવિઝન, વઢવાણ, જોરાવરનગર, બી ડિવિઝન સહિત ધ્રાંગધ્રા, લીંબડી, પાણશીણા, સાયલા, થાન, મૂળી, લખતર પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની કરવામાં આવી છે. આમાં કૉન્સ્ટેબલ, હેડ કૉન્સ્ટેબલ તેમજ એએસઆઈ વર્ગના પોલીસ કર્મચારીઓ સામેલ છે,...

Gujarat News : કબૂતરબાજી કેસમાં વધુ એક આરોપી કેયુર પટેલની સ્ટેટ મોનીટરીંગ સેલે વિસનગરથી કરી ધરપકડ

<p>Gujarat News : કબૂતરબાજી કેસમાં વધુ એક આરોપી કેયુર પટેલની સ્ટેટ મોનીટરીંગ સેલે વિસનગરથી કરી ધરપકડ</p>