Skip to main content

Visa Scandal: અમદાવાદમાં ચાલતુ હતુ મોટી-મોટી યૂનિ.ના નકલી સર્ટી બનાવી આપીને વિદેશ મોકલવાનું કૌભાંડ, CIDએ કર્યો પર્દાફાશ


<p><strong>Gujarat Crime News:</strong> છેલ્લા કેટલાક દિવસોમાંથી રાજ્યમાં સીઆઇડી ક્રાઇમ પોલીસ એક્શનમાં આવી છે. વિદેશમાં નોકરીની લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરનારી ટોળકીનો એક પછી એક મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ રહ્યો છે. આજે સીઆઇડીએ અમદાવાદના વધુ એક વિઝા કન્સલટન્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ લોકો જુદીજુદી યૂનિવર્સિટીઓના નકલી પ્રમાણપત્રો આપીને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતા હતા.</p> <p>સીઆઈડી ક્રાઈમે રાજ્યની વિવિધ ઈમીગ્રેશન ફર્મ પર પાડેલા દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આઉટ સૉર્સ ઇન્ડિયા ફર્મના સંચાલકો સહિત 6 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિજય ચાર રસ્તા પાસે આવેલા આઉટ સૉર્સ ઇન્ડિયા નામની ઓફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસને મોટા પ્રમાણમાં બનાવટી પ્રમાણપત્રો અને ગેઝેટ્સ તેમજ અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમે કાર્યવાહી કરી, આ શખ્સો યુવાનો પાસેથી લાખો રૂપિયા લઇને યુવકોને ગેરકાયદેસર રીતે ઇગ્લેન્ડ, અમેરિકા અને કેનેડા મોકલવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.</p> <p>પોલીસે દરોડાની કામગીરી દરમિયાન ઓસમાનિયા યૂનિવર્સિટી હૈદરાબાદ, છત્તીશગઢ યૂનિવર્સીટી, મોનાદ યૂનિવર્સીટી, છત્રપતિ સાહજી યૂનિવર્સિટીના બનાવટી પ્રમાણપત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા, તેમજ લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે ફર્મના પાર્ટનર દિપક પટેલની પુછપરછ કરતા કેનેડામાં રહેતા તેના ભાગીદાર સ્નેહલ પટેલનુ નામ બહાર આવ્યું હતું, વધુ પુછપરછમાં વિગતો ખુલી કે સાણંદમાં રહેતો અનિલ મિશ્રા અને દિલ્લીમાં રહેતા અમરેન્દ્રપુરી અને નિરવ મહેતા પાસેથી આ બનાવટી પ્રમાણપત્રો તૈયાર કરી આપતો, જેના બદલામાં તેને 10થી 20 હજાર રૂપિયા મળતા હતા, જ્યારે દિપક પટેલ વિદ્યાર્થીઓને બનાવટી પ્રમાણપત્રોના બદલામાં રૂપિયા 60 હજારથી લઇને ૧.૨૫ લાખની લેવામાં આવતા હતા.&nbsp;</p> <p>વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે. CID ક્રાઈમે 17 ટીમો બનાવી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.&nbsp;</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...