Skip to main content

Gujarat Weather: ગુજરાતનાં વાતાવરણમાં પલટો, ધુમ્મસથી વિઝિબિલીટી ઘટી; ઘઉં, ધાણા, જીરૂના પાકને અસર થવાની ખેડૂતોને ભીતી


<p><strong>Gujarat Weather:</strong> અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસેગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સૌથી વધુ 36.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે.</p> <p>તો બીજી તરફ આજે સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ પણ છવાયું છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. તો રાજકોટ જિલ્લાના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ છવાયું છે. ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટતાવાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ઘઉં, ધાણા, જીરૂના પાકને પણ અસર થવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે.</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં વરસાદે હવામાનનો મૂડ બદલી નાખ્યો હતો, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વીજળી ઠપ થઈ ગઈ હતી. પર્વતીય રાજ્યોમાં સ્થિતિ એવી છે કે હવામાન વિભાગે અહીં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.</p> <p>રાજધાની દિલ્હીમાં સોમવારે (19 ફેબ્રુઆરી) દિવસભર જોરદાર પવન ફૂંકાતાં વાતાવરણ ખુશનુમા રહ્યું હતું, ત્યારબાદ રાત્રે વરસાદ જોવા મળ્યો હતો. દિલ્હીમાં વરસાદ બાદ ફરી ઠંડી વધવાની આશંકા છે. આ સાથે IMD એ મંગળવારે દિવસભર વાદળછાયું આકાશ રહેવાની અને ઘણી જગ્યાએ ઝરમર ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.</p> <p>પંજાબ અને હરિયાણામાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગે હરિયાણાના કરનાલ, રોહતક, પંચકુલા, સોનીપત, અંબાલા, ઝજ્જર, કૈથલ, કુરુક્ષેત્ર, જીંદ, પાણીપત અને ઝજ્જરમાં ભારે પવનની સાથે સાથે અતિવૃષ્ટિની નારંગી ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે પંજાબના 17 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 5 જિલ્લામાં કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સિવાય સોમવારે ચંદીગઢમાં વરસાદ અને કરા પડ્યા હતા.</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. સોમવારે રાત્રે ઠંડા પવન સાથે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે પશ્ચિમ યુપીના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન તોફાન, વીજળી અને તેજ પવનની શક્યતા છે. 19મી અને 20મી ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને ભારે પવનની શક્યતા છે.</p> <p>પર્વતીય રાજ્યોમાં હવામાન વિભાગે દેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાના રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. હવામાન વિભાગે મંગળવાર અને બુધવાર માટે ભારે હિમવર્ષાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ 7 જિલ્લાઓ માટે જારી કરવામાં આવ્યું છે. ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર, લાહૌલ સ્પીતિ અને મંડીમાં કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થઈ શકે છે.</p> <p>હવામાન વિભાગે આજે એટલે કે મંગળવાર (20 ફેબ્રુઆરી) હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી જારી કરી છે. હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સાથે હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...