Skip to main content

Lok Sabha Election 2024: આગામી 3 દિવસમાં કોંગ્રેસ ગુજરાત લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે


<p><strong>Gujarat Congress:</strong> લોકસભાની ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 3 દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે. સૌથી વધુ ગૂંચવાયેલી રાજકોટ બેઠકનું કોકડું ઉકેલાયા હોવાની પણ AICCના સૂત્રોથી જાણકારી મળી છે.</p> <p>તો મહેસાણા, સુરેંદ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર પણ નિશ્ચિત થઈ ચુક્યા છે. રોહન ગુપ્તા દ્વારા ના પાડ્યા બાદ અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોને ઉતારવા તે પણ પક્ષે નક્કી કરી લીધું છે. લોકસભાની સાથે જ યોજાનાર રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી મુદ્દે પણ કોંગ્રેસે મંથન કરી લીધું છે.</p> <p>પ્રદેશ તરફથી મોકલાયેલા પાંચેય બેઠકના ઉમેદવારોની યાદીને ચર્ચા બાદ કોંગ્રેસની કેંદ્રીય ચૂંટણી સમિતિએ લીલી ઝંડી આપ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠકથી કડવા પાટીદારને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે તો માણાવદરથી લેઉવા પાટીદારને ભાજપના અરવિંદ લાડાણી સામે મેદાનમાં ઉતારવાનું નક્કી થઈ ચુક્યું છે.</p> <p><strong>લોકસભા ચૂંટણી: મતદાન ક્યારે અને પરિણામ ક્યારે?</strong></p> <p>લોકસભાની ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 102 લોકસભા સીટો પર મતદાન થશે. બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે 89, ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ 94, ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ 96, પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ 49, છઠ્ઠા તબક્કા હેઠળ 25 મેના રોજ 57 અને સાતમા તબક્કા હેઠળ એક જૂનમાં લોકસભાની 57 બેઠકો પર મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.</p> <p><strong>ECIએ આ વખતે સામાન્ય ચૂંટણી માટે આ વ્યવસ્થા કરી છે</strong></p> <p>વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે દેશમાં અંદાજે 97 કરોડ (96.8 કરોડ) નોંધાયેલા મતદારો છે અને 10.5 લાખ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. ચૂંટણીના સંચાલન માટે 1.5 કરોડ પોલિંગ ઓફિસર અને સુરક્ષા કર્મચારીઓ છે, જ્યારે 55 લાખ ઈવીએમ અને ચાર લાખ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.</p> <p>લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ&nbsp; રાજનેતાઓ એક બીજા પક્ષ પર આકરા નિવેદન કરી રહ્યાં છે. ગુજરાત કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર &nbsp;ભાજપને પ્રહાર કરતા એક કવિતા લખી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે કેટલાક દિગ્ગજ નેતાની ટિકિટ કાપતાં પરેશ ધાનાણીએ ભાજપ પર ટિકિટને લઇને થયેલા કકળાટ પર પ્રહાર કરતા કવિતા લખી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...