Skip to main content

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી આગાહી 


<p><strong>અમદાવાદઃ</strong> &nbsp;હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, &nbsp;ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગરમીની સંભાવનાઓ સાથે તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું પણ હવામાન વિભાગે કહ્યું છે. &nbsp; હવામાન વિભાગે ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. &nbsp;</p> <p>હવામાન વિભાગ દ્વારા પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી &nbsp;છે. &nbsp;સૌરાષ્ટ્ર-કચ્છના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.&nbsp;</p> <p>આગામી પાંચ દિવસ વાતવરણ સૂકું રહેશે. 10 અને 11 એપ્રિલ પ્રિ મોન્સુન એકટીવીટીના પગલે અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;10 એપ્રિલે દાહોદ, છોટઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. &nbsp;</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;11 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, &nbsp;મહીસાગર, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે. &nbsp;અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે &nbsp;રાજકોટમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>કાળઝાળ ગરમીની સાથે હિટવેવનો અટેક</strong></p> <p>સમગ્ર દેશના વેધરની વાત કરીએ તો દેશમાં હવામાન બદલાવા લાગ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે. જો કે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ છે. દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીએ દસ્તક આપી છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીએ લોકોને ત્રસ્ત બનાવી દીધા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે.</p> <p>હવામાન વિભાગે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલયના હિમાલયના વિસ્તારોમાં ભારે પવનને કારણે તોફાની વરસાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે.નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન પવન પણ જોરદાર ફૂંકાશે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, કેરળમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...