Skip to main content

ગરમીનો કહેરઃ સૌરાષ્ટ્ર અને સુરતમાં હાર્ટ એટેક, ગભરામણ, ખેંચ, બેભાન થયા બાદ 14 લોકોનાં મોત


<p><strong>Gujarat Heatwave Deaths:</strong> કાળઝાળ ગરમીને કારણે સુરત અને સૌરાષ્ટ્રમાં ગભરામણ, હાર્ટ એટેક, ખેંચ અને બેભાન થયા બાદ 14 લોકના મોત થયા છે. જેમાં સૌરાષ્ટરમાં 5 લોકોના મોત થયા છે જ્યારે સુરતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.</p> <p>સૌરાષ્ટ્રની વાત કરીએ તો હીટવેવને લીધે હાલારમાં ત્રણ વ્યકિતઓનાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે. મોરબીનાં વાઘપરમાં ભુવાને ધુણતા ધુણતા હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે રાજકોટમાં પારેવડી ચોકમાં રહેતા મ્યુ. કોર્પો.નાં કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર થયું હતું.</p> <p>&nbsp;જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ દામજીભાઈ બુસા નામના ૫૪ વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ જાદવ નામના ૪૫ વર્ષના યુવાનનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું છે. અન્ય એક કેસમાં કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના ખેડૂત ગઈકાલે બપોરે ગરમીના કારણે બેશુદ્ધ બની ગયા હતા. હોસ્પિટલમાં લઈ જતા તેમનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.</p> <p>વાઘપર ગામે ભૂવા પીથ્ભાઈ મકવાણા રહે વાઘપર વાળા ધૂણતા હતા ત્યારે ધૂણતા ધૂણતા ભુવાજીને હાર્ટ એટેક આવ્યો હતોં ને હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નીવડયો હતો. જ્યારે હાર્ટ એટેકનાં પાંચમો બનાવ રાજકોટમાં બન્યો હતો. અહીં પારેવડી ચોકમાં મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા&nbsp; અને મ્યુ. કોર્પો.નાં સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા રમેશભાઇ બાબુભાઇ જાખરિયા (ઉ.વ. 46)નું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.</p> <p>સુરતની વાત કરીએ તો લિંબાયતમાં તાવ બાદ ૩૬ વર્ષીય યુવાન, રાંદેરમાં ૪૩ વર્ષીય આધેડ, હજીરામાં ૪૮ વર્ષીય આધેડ અને ૪૫ વર્ષીય આધેડ, ડીંડોલીમાં ચક્કર આવ્યા બાદ૩૩ વર્ષીય મહિલા, ઉધનામાં તાવ આવ્યા બાદ ૪૦ વર્ષીય યુવાન,અમરોલીમાં ૩૮ વર્ષીય યુવાન, પાંડેસરામાં ૩૮ વર્ષીય યુવાન અને નાનપુરામાં ગભરાણ થયા બાદ ૪૦ વર્ષીય યુવાન તબિયત બગડતા બાદ મોત થયા હતા.</p> <p><strong>હીટવેવથી બચવા આટલું કરો</strong></p> <ol> <li> <p><strong>પાણીની પૂરતી માત્રામાં પીઓ:</strong> દિવસ દરમિયાન ખૂબ વધારે પાણી પીઓ અને હાઇડ્રેટેડ રહો. લીમડું પાણી, છાશ, નારિયેળ પાણી અને ફળોનો રસ પણ ઉપયોગી છે.</p> </li> <li> <p><strong>હલકાં અને ઢીલા કપડા પહેરો:</strong> સુતરાઉ અને હલકાં રંગના કપડા પહેરો જે તમારા શરીરને ઠંડક આપે.</p> </li> <li> <p><strong>સૂર્યપ્રકાશથી બચો:</strong> ગરમીના તીવ્ર સમય દરમિયાન (સાંજે 11:00 થી 4:00 વાગ્યા સુધી) ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો.</p> </li> <li> <p><strong>ઠંડક મેળવવા માટે છત્રી અથવા કેપ પહેરો:</strong> સૂર્યના સીધા સંપર્કથી બચવા માટે છત્રી અથવા કેપનો ઉપયોગ કરો.</p> </li> <li> <p><strong>ઠંડા સ્થાનોમાં રહો:</strong> જો શક્ય હોય તો એર કન્ડિશનર વાળી જગ્યાઓ પર રહો અથવા પંખા અને કૂલરનો ઉપયોગ કરો.</p> </li> <li> <p><strong>ચહેરા પર પાણી છાંટો:</strong> ઠંડક મેળવવા માટે ચહેરા પર ઠંડુ પાણી છાંટો અથવા ભીનું કપડું મુકો.</p> </li> <li> <p><strong>હળવો ખોરાક ખાવો:</strong> તાજો અને હળવો ખોરાક ખાવો, જેમ કે ફળો, સલાડ અને થંડા પીણાં.</p> </li> <li><strong>ઓઆરએસ:</strong> જો જરૂરી હોય તો ડોકટરની સલાહ મુજબ ઓઆરએસ પાવડર અથવા ગ્લૂકોઝ પીવા.</li> <li> <p><strong>કસરત ન કરો:</strong> ગરમીમાં ભારે કસરત કરવાથી બચો.</p> </li> </ol>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...