Skip to main content

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી


<p><strong>Gujarat Rain Forecast:</strong>ગુજરાતના 15 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.&nbsp; વરસાદને લઇને 4 &nbsp;જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર &nbsp;કરવામાં આવ્યું&nbsp; છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ.. તો કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;</p> <p>મધ્ય ગુજરાતના આણંદ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ.. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.ગુરૂવારે રાજ્યના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ, તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે..</p> <p>અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો &nbsp;સરેરાશ 6.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં 9.84 ટકા, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 8.41 ટકા વરસાદ &nbsp;વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 6.40 ટકા વરસાદ વરસ્યો છે. &nbsp;તો મધ્ય ગુજરાતમાં 5.81 ટકા, અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 2.94 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.&nbsp; સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક &nbsp;રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 38.19 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 પૈકી એક જળાશય સંપૂર્ણ ભરાઇ ચૂક્યો છે .. તો અન્ય જળાશયોમાં હાલ 14.01 ટકા જળસંગ્રહ &nbsp;છે.</p> <p>સરદાર સરોવર ડેમમાં હાલ 52.96 ટકા જળસંગ્રહ.. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42.45 ટકા, કચ્છના 20 જળાશયોમાં 21.84 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.52 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 31.71 ટકા જળસંગ્રહ છે.</p> <p>દેશના હવામાનની વાત કરીએ તો રાજધાની દિલ્લી સહિત દેશના કેટલાક રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગનું અનુમાનછે.. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન &nbsp;ફુંકાઈ શકે છે. આગામી પાંચ દિવસ ઉત્તર બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. દિલ્લી-NCRમાં મોસમનો મિજાજ. બદલતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. . સતત બીજા દિવસે દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ &nbsp;વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક &nbsp;ગઇ છે</p> <p>રાજસ્થાનના સિહોરીમાં ગુરૂવારે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે નદીમાં ટ્રેક્ટર તણાવાનો વીડિયો સામે આવ્યો છે. &nbsp;જો કે કોઈ જાનહાનીના સમાચાર નથી &nbsp;નવા નીરથી નદીઓ &nbsp;ગાંડીતૂર બની છે.રાજસ્થાનના જોધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો.. અલગ અલગ વિસ્તારો વરસાદી પાણીથી જળમગ્ન થયા.. વરસાદી નાળામાં ડુબી જતા એક યુવકનું &nbsp;મોત થયું છે. .. યુવકના મોતથી લોકોમાં પ્રશાસનની કામગીરીથી રોષ જોવા મળ્યો છે.</p> <p>ગુરૂવારે ધીમીધારે વરસેલા વરસાદથી &nbsp;માયાનગરી મુંબઈના મોસમનો મિજાજ પણ બદલાયો છે. શહેરના અલગ અલગ વિસ્તાર, એયરપોર્ટ નજીકના વિસ્તારોમાં વરસ્યો ધીમીધારે વરસાદ વરસ્યો છે.</p> <p>બિહારના કિશનગંજમાં ધોધમાર વરસાદ બાદ પાણીના વહેણમાં કનકઈ નદીના પુલનો પિલર ધરાશાયી થયો.. બહાદુરગંજ અને દિધલબેંકને જોડલા પુલનો પીલર જમીનદોસ્ત થતા સ્થાનિકોને હાલાકીમાં વધારો થયો છે. કેરળના કોચ્ચીમાં ભારે વરસાદથી ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. &nbsp;ભારે વરસાદથી અલુવા મહાદેવ મંદિર જળમગ્ન થઇ ગયું. .. કેરળના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. &nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...