Skip to main content

આજે રાજ્યના આ જિલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની આગાહી


<p><strong>Gujarat Weather Update:</strong> દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં બે સિસ્ટમ સક્રિય છે, જેમાં ઓફશોર ટ્રફ અને સીયર જોન સક્રિય છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.</p> <p>વિભાગે 27 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરની સાથે દાહોદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં આપવામાં આવી છે.</p> <p>28 જુલાઈની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે જ્યારે દાહોદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p> <p>તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 6 ઈંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં 6 ઈંચ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 5 ઈંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 4 ઈંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, 26 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા સુધી, ગુજરાતમાં સિઝનના કુલ સરેરાશ વરસાદના 54 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 75 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. આ ઉપરાંત મોસમનો કુલ સરેરાશ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 29 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ટકા નોંધાયો છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...