Skip to main content

Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં તૂટી પડશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી


<p><strong>Gujarat Rain Forecast: &nbsp;</strong>હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક &nbsp;એવા જિલ્લામાં હવે વરસાદ થશે. જ્યાં હજુ સુધી &nbsp;સારો વરસાદ નથી વરસ્યો. આ નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાનો અનુમાન છે. રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ સર્જાઇ છે તો &nbsp;દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના કેટલાક જિલ્લા પર થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.</p> <p>આગામી દિવસોમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં &nbsp;થઇ શકે છે. વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચથી સાત દિવસો સુધી &nbsp;મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી છે. &nbsp;વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં &nbsp;પણ સારા વરસાદનું અનુમાન છે.</p> <p>સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ થોડો આ વિસ્તારમાં વિરામ લીધો છે. જો કે આજે હવામાન વિભાગે વરસાદને લઇને ખાસ કરીને ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ, તો 22 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;</p> <p>દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;તો ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ &nbsp;વરસી શકે છે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે.. તો ખેડા, મહીસાગર, દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. &nbsp;</p> <p>હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.,અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું&nbsp; અનુમાન છે. હવામાન વિભાગે આજના દિવસે અમદાવાદ અને ગાંધીનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું &nbsp;&nbsp;ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. &nbsp;તો પ્રવાસન સ્થળ દીવમાં &nbsp;સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.</p> <p>રાજ્યના ત્રણ જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં &nbsp;100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે &nbsp;જૂનાગઢમાં 119.21 ટકા, દ્વારકામાં 141.80 ટકા તો પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝનનો વરસી 121.30 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.આઠ તાલુકામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 50 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. .. સૌથી વધુ ખેરગામમાં 65.12 ઈંચ, ઉમરગામમાં 63.80 ઈંચ, તો વલસાડમાં વરસ્યો 63.52 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. .. વંથલી, નવસારી, વિસાવદર,ઉમરપાડામાં 57 ઈંચથી વધુ વરસાદ &nbsp;વરસી ચૂક્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...