Skip to main content

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી


<p><strong>Gujarat Rain Forecast:</strong> હવામાન વિભાગની (Meteorological Department,) આગાહી (Forecast) મુજબ આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયાસ્થલો પર ભારે વરસાદનું &nbsp;(rain)અનુમાન છે.</p> <p>સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે &nbsp;યલો એલર્ટ આપ્યું છે. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ &nbsp;વરસી શકે છે.</p> <p>આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાંવધુ એક વરસાદનો &nbsp;રાઉન્ડ શરૂ થશે. ચાર દિવસ દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. 25 સપ્ટેમ્બરે &nbsp;દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે&nbsp; આગાહી કરી&nbsp; છે.&nbsp; હવાન વિભાગે વરસાદની આગાહીના પગલે વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો તો સુરત, તાપી,નવસારી,ડાંગમાં પણ &nbsp;ભારે વરસાદનું અનુમાન છે.</p> <p>સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 25 સપ્ટેમ્બર &nbsp;ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. &nbsp;ભારે વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં &nbsp;ચોમાસાની વિદાયનો પ્રારંભ થઇ ગયો છે. હવામાન વિભાગે કચ્છમાંથી 183 ટકાથીવધુ વરસાદ સાથે &nbsp;&nbsp;વિદાય જાહેર કરી છે.કચ્છમાં ચોમાસું 90 દિવસ રહ્યું.</p> <p><strong>રાજ્યમાં ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો </strong></p> <p>રાજ્યમાં આ વર્ષે વરસેલા વરસાદે &nbsp;છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. &nbsp;અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો 125.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વર્ષ 2023માં 108.16 ટકા.. વર્ષ 2022માં 122.09 ટકા અને વર્ષ 2021માં રાજ્યમાં સિઝનનો 98.48 ટકા વરસાદ &nbsp;વરસ્યો હતો, ચોમાસાની સિઝનનો સૌરાષ્ટ્રમાં 129.81 ટકા વરસાદ વરસ્યો છે તો &nbsp;તો દક્ષિણ ગુજરાતમાં 129.89 ટકા, મધ્ય ગુજરાતમાં 121.42 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 107.77 ટકા વરસાદ &nbsp;વરસી ચૂક્યો છે.</p> <p><strong>રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો</strong><strong>?</strong></p> <p>રાજ્યના 206 પૈકી 109 જળાશયો 100 ટકા ભરાયેલા છે તો &nbsp;70થી100 ટકાભરાયેલા જળાશયોની સંખ્યા 64, તો 18 જળાશયો 50થી 70 ટકા અને નવ જળાશયો 25થી50 ટકા ભરાયેલા છે.રાજ્યના કુલ 206 પૈકી 173 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી &nbsp;90 ટકાથી વધુ ભરાયેલા 152 જળાશયો હાઈએલર્ટ પર છે, જ્યારે 14 જળાશયો એલર્ટ અને સાત જળાશયો વોર્નિંગ પર છે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p class="abp-article-title"><a title="Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી" href="https://ift.tt/25lEUoO" target="_self">Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી</a></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...