Skip to main content

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી


<p>Ambalal Patel Rain Forecast: ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં વરસાદી માહોલ જોવા મળશે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતાં હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.</p> <p>ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદની વિશેષ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.</p> <p>22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમની અસર વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.</p> <p>28 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે, જે વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. જો આવું થશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે.</p> <p>નવરાત્રી દરમિયાન પણ નવી સિસ્ટમ બનવાની સંભાવના છે, જે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ લાવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.</p> <p>શરદ પૂનમ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. લા નીનોની અસરને કારણે 27 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે, જે 3 ડિસેમ્બર બાદ વધુ તીવ્ર બનશે. 22 ડિસેમ્બર પછી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.</p> <p>હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય રહી અને તે પછી સિસ્ટમ બની. નવી રચાયેલી ડીપ લો પ્રેશર સિસ્ટમ હાલમાં ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે ભારતના ઉત્તર અને મધ્ય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જો કે હાલમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો કોઈ ખતરો નથી, પરંતુ 22 અને 23ની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદમાં થોડો વધારો થવાની સંભાવના છે.</p> <p>આ પણ વાંચોઃ</p> <p><a href="https://ift.tt/nh7zJ4P data-sheets-root="1">વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી</span></a></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>