Skip to main content

Gujarat: ગુજરાતમાં અકસ્માતોની વણઝાર, ચાર અકસ્માતમાં ત્રણનાં મોત


<p>સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, &nbsp;ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક બેફામ ટ્રકના ચાલકે બાઈક પર જતા પરિવારને અડફેટે લીધો હતો. જેમાં ટ્રકની ટક્કરે માતા-પુત્રનું કરૂણ મોત થયું. જ્યારે પતિનો બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઈડર પોલીસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.</p> <p>અરવલ્લીના શામળાજી નજીક હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. ખોડંબા ગામ પાસે બેફામ ટ્રકે બાઈક સવારને ટક્કર મારી હતી. બાઈકને ટ્રકની ટક્કર લાગતા ફૂટબોલની જેમ ફંગોળાઈને નીચે પટકાયા હતાં. જેમાં ગંભીર ઈજા થતા એકનું મોત થયું તો બેને ઈજા પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ તરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક રોડ પરના બેરિકેડ ઉડાવી ફરાર થઈ ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે યુવકો પૂનમ નિમિતે શામળાજી દર્શને નીકળ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.</p> <p>ગાંધીનગરના ક - 6 સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાહન અને બાઈક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે જણા ઇજાગ્રસ્ત થયા હતા. મહેસાણા મોઢેરા રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના બની હતી. ભેંસો લઈ જઈ રહેલી એક મહીલાને કાર ચાલક ટકકર મારીને ફરાર થઇ ગયો હતો. મહીલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોઢેરા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.</p> <p>તાજેતરમાં જ અમદાવાદના એસ.જી હાઇવે પર સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માત કરનાર શ્લોક પટેલની ધરપકડ કરી હતી. આરોપી 25 વર્ષીય શ્લોક નારણપુરાનો રહેવાસી છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/zWPHofN" width="631" height="381" scrolling="no"></iframe></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>