Skip to main content

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ: ભાજપ નેતાએ અધિકારીઓ અને વચેટિયાઓને ઘેર્યા


<p><strong>Groundnut Purchase Corruption:</strong> ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે લગાવ્યો છે. કાનાબારે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓની સાંઠગાંઠથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં બજારમાંથી ખરીદાયેલી હલકી ગુણવત્તાવાળી મગફળી સરકારને વેચવામાં આવી છે.</p> <p>સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ડૉ. ભરત કાનાબારે આ બાબતે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ ગોલમાલ થઈ છે, જેમાં વેપારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓએ મિલીભગત કરીને ફાયદો ઉઠાવ્યો છે.&nbsp; કાનાબારે દિલીપ સંઘાણીના ખેડૂતો માટેના પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી, પરંતુ સાથે જ સરકારમાં હલકી ગુણવત્તાવાળી મગફળી પધરાવવાનું કારસ્તાન ચાલતું હોવાનો દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે સરકારનો ખેડૂતોને ફાયદો કરાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે MSP યોજના પણ ચલાવવામાં આવે છે, પરંતુ સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે.</p> <p>તો બીજી તરફ, મનહર પટેલે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો ઈરાદો ભ્રષ્ટાચારીઓ પર લગામ લગાવવાનો નથી. મનહર પટેલે ભ્રષ્ટ અધિકારીઓ પર સરકાર લગામ લગાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે ખેડૂતો પણ પરેશાન હોવાની વાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે "ભાજપની ચંડાળ ચોકડી જ ભ્રષ્ટાચાર કરે છે" અને સરકારી તંત્રનો મિજાજ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો નથી.&nbsp; મનહર પટેલે ડાંગર કૌભાંડના આરોપી કેટલા દિવસમાં પકડાયો તે સવાલ ઉઠાવીને સરકારની કામગીરી પર પ્રશ્નચિહ્ન મૂક્યું હતું અને કટાક્ષમાં કહ્યું હતું કે "દાદાની સરકાર બપોરના સમયે ઊંઘી જાય છે".</p> <p>દિલીપ સખિયાએ આ ઘટનામાં નૈતિક્તાનો અભાવ હોવાનું જણાવ્યું હતું અને ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાનું કહ્યું હતું. તેમણે સરકારને નક્કર પોલિસી લાવવા અને ખેડૂતોનું પાણીપત્ર ઓનલાઈન ભરવાની તથા ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે કે કેમ તેની જાણકારી હોવી જરૂરી હોવાનું સૂચન કર્યું હતું.</p> <p>કગથરાએ પણ મગફળીની ખરીદીમાં અગાઉ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવીને ભ્રષ્ટ અધિકારીઓ ખેડૂતો પાસેથી ૭ ૧૨ ઉઘરાવતા હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મગફળીના ટેકાના ભાવ અને બજાર કિંમતમાં ઘણો તફાવત હોવાની વાત કરીને ભાજપના નેતાઓને ખેડૂતોની મજાક કરવાનું બંધ કરવા જણાવ્યું હતું અને ભાજપ સરકારમાં અનેક મોટા કૌભાંડ થયા હોવાનો દાવો કર્યો હતો.</p> <p><strong>આ પણ વાંચો....</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/devayat-khawad-car-attack-case-audio-clip-viral-2025-930351">બાધવા તૈયાર રહેજો...' દેવાયત ખવડની ડાયરાના આયોજકેનો ખુલ્લી ચેતવણી, કહ્યું - હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું</a></strong></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>