Skip to main content

'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો


<p><strong>surendranagar suicide case:</strong> અમદાવાદના થલતેજ વિસ્તારમાં વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાહુલ પરમાર નામના યુવકે હોટેલના રૂમમાં સુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું હતું. સુસાઈડ નોટમાં રાહુલે પત્ની ભૂમિ પ્રજાપતિને તેના આપઘાત માટે જવાબદાર ઠેરવી હતી. વસ્ત્રાપુર પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p> <p>પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના ભલગામના વતની રાહુલ દુધાભાઈ પરમાર (ઉં.વ. 27) એ થલતેજ સ્થિત વાઇબ્રન્ટ રેસિડેન્સી હોટેલના રૂમ નંબર 305માં ગળે ફાંસો ખાધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન, લેપટોપ, પાકીટ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં રાહુલે લખ્યું હતું કે, "તું તારાં માતાપિતા, મિત્રો અને સગાંની વાતોમાં આવી ગઈ અને તેં મને છોડી દીધો. મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે."</p> <p>પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ અને ભૂમિએ લવ મેરેજ કર્યા હતા. મૃતક રાહુલના પિતા દુધાભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાહુલ નીચી જાતિનો હોવાથી ભૂમિ અને તેના પરિવારજનો છેલ્લા છ મહિનાથી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. આ બાબતે ભૂમિ અવારનવાર ઝઘડા કરતી હતી અને પંદર દિવસથી અલગ પીજીમાં રહેવા જતી રહી હતી.</p> <p>દુધાભાઈએ વધુમાં જણાવ્યું કે, 17 નવેમ્બર, 2024ના રોજ રાહુલનો ફોન બંધ આવતો હોવાથી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બાદમાં 20 નવેમ્બર, 2024ના રોજ વસ્ત્રાપુર પોલીસે ફોન કરીને રાહુલના આપઘાત વિશે જાણકારી આપી હતી. પોલીસે હોટેલના રૂમમાંથી મળેલી સુસાઈડ નોટ અને અન્ય વસ્તુઓ કબ્જે કરી હતી.</p> <p>વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મામલે પત્ની ભૂમિ પ્રજાપતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સુસાઈડ નોટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.</p> <p>આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લવ મેરેજ બાદ જાતિના કારણે થયેલા ત્રાસના કારણે યુવકે આપઘાત કરતા સમાજમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.</p> <p><strong>આ પણ વાંચો...</strong></p> <p><strong><a href="https://gujarati.abplive.com/news/gujarat/jetpur-two-youths-die-heart-attack-single-day-930431">નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા કેસો વચ્ચે જેતપુરમાં એક જ દિવસમાં બે યુવાનોના મોત</a></strong></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>