Skip to main content

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ


<p>આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના ભાષણથી થશે. આ પછી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને તાજેતરમાં અવસાન પામનાર કડીના ધારાસભ્ય સ્વ.કરશન સોલંકી સહિતના ધારાસભ્યોને શોકાજંલિ અપાશે.</p> <p>દિવસના અંતે ફિઝીયોથેરાપી કાઉન્સિલ રદનું અને આરોગ્ય સંસ્થાના રજીસ્ટ્રેશનનું સુધારા વિધેયક રજૂ કરાશે. તો આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો,આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો,ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.</p> <p>ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દોઢ મહિનો ચાલનારા વિધાનસભા <a title="બજેટ" href="https://ift.tt/RfmtnLo" data-type="interlinkingkeywords">બજેટ</a> સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી, કૉંગ્રેસના આરોપોનો કેવી રીતે જવાબ આપવા સહિતના વિષયો પર સી.આર.પાટીલે ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું તો સરકાર તરફી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીએ પણ ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;&nbsp;</p> <p>વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, નાણામંત્રી કનુ દેસાઈ, ભાજપના વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને દાણીલીમડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઉપસ્થિતિમાં યોજાઈ હતી. રાજ્યપાલના સંબોધન બાદ ત્રણ બેઠક રાખવામાં આવી છે. તદુપરાંત પૂરક માંગણી માટેની પણ બે ચર્ચા બેઠક બજેટ સત્રમાં યોજવામાં આવવાની છે. બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બાર જેટલી બેઠકો વિધાનસભાના બજેટ સત્રમાં યોજાવાની છે.</p> <p class="abp-article-title"><a title="સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભા કરતાં પણ ભાજપનો ઐતિહાસિક વિજય, જાણો ચોંકાવનારા આંકડા" href="https://ift.tt/Poi6KOb" target="_self">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભા કરતાં પણ ભાજપનો ઐતિહાસિક વિજય, જાણો ચોંકાવનારા આંકડા</a></p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>