Skip to main content

રાજ્યની 80 નગરપાલિકાઓ ઝળહળશે! ગુજરાત સરકારનો સોલાર ઉર્જાનો માસ્ટર પ્લાન


<p><strong>Gujarat solar power project:</strong> ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના દ્વારા નગરપાલિકાઓ પોતાની વીજળી ઉત્પન્ન કરી શકશે અને આત્મનિર્ભર બનશે.</p> <p>રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં વીજ ખર્ચ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન એનર્જી વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. સોલાર ઉર્જા દ્વારા નગરપાલિકાઓના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે.</p> <p>આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ ક્ષમતાવાળા લોકેશનને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સોલાર પાવર પ્રોજેક્ટમાં રાજ્યની કુલ ૮૦ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, જેમાં "અ" વર્ગની ૩૧, "બ" વર્ગની ૨૦, "ક" વર્ગની ૨૫ તથા "ડ" વર્ગની ૪ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.</p> <p>ગુજરાત વિધાનસભામાં બારેજા નગરપાલિકાના પંપીંગ સ્ટેશન ખાતે સૌર ઉર્જાથી વીજળી પૂરી પાડવા અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બારેજા નગરપાલિકા તરફથી કુલ ૧૩ સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દરખાસ્ત મળી હતી, જેમાં ૮ ટ્યુબવેલ, ૪ પમ્પિંગ સ્ટેશન અને ૧ એસટીપીનો સમાવેશ થાય છે. હાલમાં, બારેજા નગરપાલિકાના મહિજડા પાટિયા એસ.ટી.પી. ખાતે ૯૯ કિલોવોટ ક્ષમતાના રૂ. ૮૬.૨૧ લાખના ખર્ચે સોલાર પાવર પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ થકી વાર્ષિક અંદાજે ૧,૪૪,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન્ન થશે.</p> <p>મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના શહેરોમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના અસરકારક અમલીકરણ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. કાર્યરત છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન જેવા એકમોના સંચાલનમાં વીજ વપરાશ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, જેના કારણે નગરપાલિકાઓને મોટું વીજ બિલ ભરવું પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા અને તમામ યોજનાઓ સ્વયં સંચાલિત થાય તે માટે STP, WTP, પમ્પિંગ સ્ટેશન અને અન્ય નગરપાલિકા માલિકીના સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે.</p> <p>આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. (GUDC)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. GUDC અત્યાર સુધીમાં ૧૩.૩૯ મેગાવોટની ક્ષમતાના ૧૦૪ સોલાર પ્રોજેક્ટ રૂ. ૯૪.૪૬ કરોડના ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેનાથી નગરપાલિકાઓને વાર્ષિક અંદાજે રૂ. ૧૩ કરોડનો વીજ બિલમાં ફાયદો થશે.</p> <p>પ્રથમ તબક્કામાં ૫૦ કિલોવોટથી વધુ વીજ વપરાશ ધરાવતા સ્થળોને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી રોકાણ પર વળતરનો સમયગાળો મર્યાદિત રહે. રાજ્ય સરકાર દ્વારા ૧૯૪ સંભવિત સ્થળો પર કુલ ૨૩.૩૩ મેગાવોટની ક્ષમતાના રૂ. ૧૬૩.૮૭ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે.</p> <p>આ પ્રોજેક્ટ અમલમાં આવવાથી ૮૦ નગરપાલિકાઓને દર વર્ષે રૂ. ૨૩ કરોડથી વધુની બચત થવાની સંભાવના છે. બાકી રહેલી નગરપાલિકાઓ માટે કેન્દ્રીય ધોરણે કેપ્ટિવ યુઝ હેઠળ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામે ૧૫૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ સ્થાપવાનું સરકારનું આયોજન છે, જેનો ડીપીઆર બનાવવાની કામગીરી ચાલી રહી છે.</p> <p>યોજનાના અમલીકરણ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. નગરપાલિકા દ્વારા દરખાસ્ત GUDCમાં સબમિટ કરવામાં આવે છે, ત્યારબાદ GUDC દ્વારા ફિઝિબિલિટી ચકાસણી કરવામાં આવે છે અને સરકારની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવે છે. નિમણૂક બાદ એજન્સીને ૫ વર્ષ માટે મરામત અને નિભાવણીની જવાબદારી સોંપવામાં આવે છે. ટેન્ડરની શરતો મુજબ, એજન્સી માટે ગેરન્ટેડ જનરેશનની શરત પણ લાગુ હોય છે.</p> <p>GUDC દ્વારા ૫૦ કિલોવોટથી મોટા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવાનું મુખ્ય કારણ એ છે કે ઓછી વીજ ડિમાન્ડ ધરાવતા સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપવાથી રોકાણ પર વળતરનો સમયગાળો લાંબો થઈ જાય છે, જે આર્થિક રીતે વ્યવહારુ નથી. નાના વિજ ડિમાન્ડ વાળા સ્થળો માટે કેન્દ્રીય ધોરણે એક મોટો સોલાર પ્લાન્ટ સ્થાપીને નગરપાલિકાને તેમની જરૂરિયાત મુજબ લાભ આપવાનું સરકારનું આયોજન છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...