Skip to main content

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે


<p><strong>Gujarat property registration:</strong> ગુજરાત સરકારે મિલકતના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત, હવેથી ખુલ્લા પ્લોટની તબદીલી સંબંધિત દસ્તાવેજોમાં મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે. આ નિયમનો ભંગ કરનાર દસ્તાવેજોની નોંધણી પણ કરવામાં આવશે નહીં. સરકારનો આ નિર્ણય સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતું નુકસાન અટકાવવા અને મિલકત સંબંધિત છેતરપિંડીના બનાવોને નિયંત્રિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.</p> <p>રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે મિલકતના દસ્તાવેજો નોંધણી માટે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમાં મિલકતના ફોટોગ્રાફ્સ સામેલ કરવાના હોય છે. કેટલાક કિસ્સાઓમાં, સ્થળ પર બાંધકામ હોવા છતાં પણ દસ્તાવેજોમાં જાણીજોઈને ખુલ્લી જમીનના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી મિલકતની સાચી કિંમત છુપાવવામાં આવે છે અને તેના પરિણામે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત, આ પ્રકારની ગેરરીતિઓના કારણે છેતરપિંડીની ઘટનાઓ પણ વધવા પામી છે. તાજેતરમાં આવા બનાવોનું પ્રમાણ વધ્યું હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે.</p> <p>આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર અનુસાર, હવેથી જ્યારે પણ ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેનો દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરવામાં આવશે, ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે સામેલ કરવામાં આવતા મિલકતના ફોટોગ્રાફમાં અથવા ફોટો ધરાવતા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાતપણે દર્શાવવાના રહેશે. જો ફોટોમાં અથવા ફોટોવાળા પાના પર ખુલ્લા પ્લોટવાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં નહીં આવે, તો તેવા દસ્તાવેજને નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં.</p> <p>અગાઉના નિયમો અનુસાર, સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના એક સાઈડેથી અને સામેની બાજુથી લીધેલા 5&rdquo; x 7&rdquo; સાઈઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ લગાવવાના રહેતા હતા. આ ફોટોગ્રાફની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખીને દસ્તાવેજ લખનાર અને ખરીદનાર બંને પક્ષકારોએ પોતાની સહી કરીને તેને દસ્તાવેજના ભાગ તરીકે માન્ય રાખવાના હતા.</p> <p>સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આગામી તારીખ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. સરકારનું માનવું છે કે આ નવા નિયમના અમલથી સ્ટેમ્પ ડ્યુટીની ચોરીને અટકાવી શકાશે અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે. આ ઉપરાંત, મિલકત સંબંધિત છેતરપિંડીના બનાવોને પણ નિયંત્રિત કરવામાં મદદ મળશે. આ નિર્ણય રાજ્ય સરકારની આવક વધારવામાં અને સામાન્ય નાગરિકોને છેતરપિંડીથી બચાવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.</p>

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી 

<p><strong>અમદાવાદ:</strong> &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. &nbsp;આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. &nbsp;આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. &nbsp;</p> <p>21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે. &nbsp;અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. &nbsp;અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p>ગુજરાતમાં &nbsp;21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

<p>Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો&nbsp;</p>

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

<p>Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..&nbsp;</p>