પેન્શનરો માટે મહત્વની સૂચના:1 મે થી 31 જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત, નહીં તો પેન્શન બંધ થશે
https://ift.tt/KuwXaDL દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ.આર.એલ.એ. યોજના હેઠળ બેન્ક મારફત પેન્શન મેળવતા તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. પેન્શનરોએ 1 મે થી 31 જુલાઈ 2025 સુધીમાં બેંક મેનેજર સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે. જો આ સમયગાળામાં ખરાઈ નહીં કરાવે તો ઓગષ્ટથી પેન્શન બંધ કરવામાં આવશે. કુટુંબ પેન્શન મેળવનારાઓએ પુનઃલગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર જિલ્લા કે પેટા તિજોરી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. 50 વર્ષથી વધુ ઉંમરની મહિલા પેન્શનરોને આ પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારે પેન્શનરોની સુવિધા માટે ડિજિટલ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. પેન્શનરો જીવન પ્રમાણ પોર્ટલ પર આધાર નંબરથી લોગિન કરી ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે છે. આ માટે ફેસ રિકગ્નિશન અથવા બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. વર્ષ 2024-25ના આવકના પ્રમાણપત્રો બેંકમાં મોકલવામાં આવ્યા છે. પેન્શનરો આ પ્રમાણપત્રો બેંકમાંથી મેળવી શકે છે. વધુમાં, https://ift.tt/hxpbX92 વેબસાઈટ પરથી પણ આવકના પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકાશે.
Comments
Post a Comment