
<p><strong>Gujarat Police operation,</strong>:પહલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એકશન મોડમાં છે. ગત રાત્રે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા કુલ 990થી વધુ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે. ગત રાત્રે મોટું ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાં એક જ રાતમાં 890 ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે જેમાંથી અમદાવાદમાં 436 પુરુષ, 240 મહિલા, 214 બાળકો છે.</p> <p>જ્યારે સુરતમાંથી 132 ગેરકાયદે ઝડપાયા છે, જેમાં 88 પુરૂષો અને 44 મહિલાનો સમાવેશ થાય છે. સુરતના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરામાં સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગેરકાયદે વસેલા બાંગ્લાદેશી પુરુષોને ડિપોર્ટ કરવા અને મહિલાઓ, બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. અમદવાદમાં ગત રાત્રે પોલીસે ચંડોળા તળાવ આસપાસની ઝૂંપડપટ્ટીમાં ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 890 બાંગ્લાદેશી ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન ૬ તથા હેડ ક્વાટરની ટીમો દ્વારા આ સંયુકત ઓપરેશન હાથ ધરાયુ હતું. </p> <p>પહલગામમાં પ્રવાસી પર આતંકી હુમલા બાદ સરકાર દ્રારા સખત પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારત આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલવા સહિત બાંગ્લાદેશી સામે પણ સ્ટ્રાઇક તેજ થઇ છે. અમદાવાદ અને સુરતમાંથી કુલ એક હજાર બાંગ્લાદેશીની અટકાયત કરાઇ છે.</p> <p>પહલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં આ ઘટનાને લઇને આક્રોશ છે. ગુજરાતના મોટાભાગના વિ્સ્તારમાં આતંકી ઘટનાના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું., આતંકી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનના કાર્યકરોએ પાકિસ્તાનના વિરોધમાં નારેબાજી કરી હતી. કાર્યકરોએ આતંકીઓના પૂતળાનું દહન કર્યું અને પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ આતંકવાદીઓનો ખાત્મો કરવાની માંગ કરી હતી.</p> <p>મોરબીમાં પણ પાકિસ્તાન વિરોધી નારા અને સૂત્રોચ્ચાર લોકોએ કર્યા હતા. શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર વિરોધ કરાયો હતો. જાહેર રોડ પર પાકિસ્તાનના ધ્વજને કચડી વિરોધ નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય, સામાજિક અગ્રણી અજય લોરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.</p> <p>નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વડોદરાના 17 પ્રવાસીઓ ફસાયા હતા. શ્રીનગરમાં કથાને લઈને વાઘોડિયા રોડના 17 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા. તમામને વતન પરત લાવવા સાંસદ હેમાંગ જોશીની કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે. </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p> <p> </p>
Comments
Post a Comment