https://ift.tt/1vC9xV4 પશ્ચિમ રેલવેનો 70મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમના સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે, જેઓ હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. રેલ સપ્તાહ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં મંડળો/એકમોને દક્ષતા શિલ્ડ એનાયત કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે, મહા પ્રબંધક અશોક કુમાર મિશ્રએ તે મંડળો અને એકમોને પ્રતિષ્ઠિત મહાપ્રબંધકની સમગ્ર કાર્યકુશળતા શિલ્ડ સહીત 26 કાર્યકુશળતા શિલ્ડો પ્રદાન કરી જેણે વર્ષ 2024-25 માટે વિવિધ ક્ષેત્રોમાં સૌથી વધુ કુશળ જોવા મળ્યા હતા. વડોદરા મંડળના ડીઆરએમ રાજુ પ્રભાકર ભડકેએ માહિતી આપી હતી કે વર્ષ 2024-25 માંવિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય માટે વડોદરા મંડળને પ્રતિષ્ઠિત 4 દક્ષતા શિલ્ડ પ્રાપ્ત થયા છે. રોજગારલક્ષી સેમિનાર તથા નામ નોંધણી કેમ્પ યોજાશે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ કચેરીના નિયંત્રણ હેઠળની યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી) કચેરી, એમ એસ યુ કેમ્પસ, વડોદરામાં કાર્યરત છે. જેમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના તમામ ટેકનિકલ ગ્રેજ્યુએટ બી ઈ, બીટેક, બી ફાર્મ, બીએચએમ એસ, બીએએમએસ, એમબીબીએસ, એલએલબી, બીડીએસ, સીએ, એમ એ, એમકોમ, એમ એસસી તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ પીજી ડિપ્લોમા અને પીએચડી થયેલા ઉમેદવાર/રોજગારવાંછુક ઉમેદવારોને વિનામૂલ્યે રોજગારલક્ષી, સ્વરોજગારલક્ષી સેવાનો લાભ આપવામાં આવે છે. આ કેમ્પમાં ભાગ લેવા માટે ઉકત લાયકાત ધરાવતા ઉમેદવારો નામ નોંધણી, કારકિર્દીલક્ષી વ્યકિતગત અને જુથ માર્ગદર્શન, વાંચન, કાઉન્સેલીગ, મોક ઈન્ટરવ્યુ તેમજ વ્યકિત્વ વિકાસને લગતા સેમિનાર તેમજ રોજગારી માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પીએમ ઈન્ટર્નશિપ યોજના હેઠળ રજીસ્ટ્રેશન હેલ્પની સુવિધા પુરી પાડવામાં આવશે. તમામ સેવાનો લાભ લેવા માટે તેમજ ઓનલાઈન રોજગારી શોધવા એપ્લાય કરવા માટે ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ https://ift.tt/BUOusbz તેમજ એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર જાતે પણ જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તેમજ યુઈબી ખાતે જાહેર રજાના દિવસે સિવાય સવારે 11 થી 5 દરમિયાન રુબરુ આવીને પણ લાભ લઈ શકે છે. યુઈબીની તમામ સેવાઓ એક સાથે લાભ લેવા માટે જાહેર રજા સિવાયના તમામ શુક્રવારે સવારે 11 વાગે નામ નોંધણી કેમ્પ અને કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વધુમાં વધુ લાભ લેવા યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણની યાદીમાં જણાવાયું છે. માતૃત્વ અને બાળ પોષણ માટે આરોગ્ય વિભાગની મહત્વની યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકોમાં પોષણ સુધારવાના ઉદ્દેશથી પોષણ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગર્ભવતી સ્ત્રીઓ અને 5 વર્ષ સુધીના બાળકો માટે પોષણયુક્ત આહાર અને આરોગ્યના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દરેક ગર્ભવતી સ્ત્રી માટે આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આહાર ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, 100 દિવસ સુધી કામ કરવાની છૂટ અને પોષણ દિનવિશેષનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેથી માતાઓ અને બાળકોને યોગ્ય પોષણ મળી શકે. મહત્વપૂર્ણ સૂચનોમાં નવા જન્મેલા બાળકને માતાનું દૂધ ઓછામાં ઓછા 6 મહિના સુધી આપવું, શિશુના વજન અને વૃદ્ધિ પર નિમિત્તે નજર રાખવી અને બાલકે 6 મહિના પછી પૂરક આહાર શરૂ કરવો જોઇએ એવી માહિતી આપવામાં આવી છે. અભિયાન અંતર્ગત આશાવર્કર દ્વારા ગામગામ સુધી આ માહિતી પહોંચાડવામાં આવી રહી છે. તેમ જ માવજત માટેના માર્ગદર્શકો પણ આપવામાં આવી રહ્યા છે જેમાં માવજતના સમયગાળામાં લેવા જેવી કાળજી, રસીકરણ, પોષણ આધારિત મેનુ, અને આરોગ્ય ચકાસણીની માહિતી સમાવિષ્ટ છે. આ પહેલથી પોષણતંત્રને મજબૂતી મળશે અને માતા તેમજ બાળકનું આરોગ્ય સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment