Skip to main content

શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ગુજરાત સરકાર: ૩ વર્ષમાં ૬૬ હજારથી વધુ યાત્રાળુઓને ₹૯.૮૬ કરોડના ખર્ચે તીર્થયાત્રા કરાવી


<p><strong>Gujarat pilgrimage scheme</strong>: ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા અને શ્રદ્ધા પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી છે. રાજ્યમાં જે શ્રદ્ધાળુઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે પોતાના ખર્ચે તીર્થયાત્રા કરી શકતા નથી, તેમને સરકારી ખર્ચે તીર્થયાત્રા કરાવીને સરકાર તેમની પડખે ઊભી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આસ્થાપૂર્ણ અભિગમ હેઠળ, સરકાર 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને ચરિતાર્થ કરી રહી છે. અનેક ધાર્મિક સ્થળોના વિકાસની સાથે સાથે હજારો શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા માટે સહાય પૂરી પાડવામાં આવી રહી છે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા 'શ્રવણ તીર્થ દર્શન યોજના', 'સિંધુ દર્શન યોજના' અને 'કૈલાશ માન સરોવર યોજના' જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના થકી રાજ્યના શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને પોતાના મનગમતા તીર્થસ્થળોની યાત્રા કરી શકે છે. આ યોજનાઓનું સંચાલન રાજ્ય સરકારનું જાહેર સાહસ 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ' વર્ષ ૨૦૧૭-૧૮થી કરી રહ્યું છે.</p> <p>ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાઓનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮થી અત્યાર સુધીના આંકડા જોઈએ તો, ઉપરોક્ત ત્રણેય યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે કુલ ૧ લાખ ૫૮ હજાર ૭૬૦ શ્રદ્ધાળુઓને વિવિધ તીર્થસ્થળોની યાત્રાઓ કરાવી છે અને લાભાર્થી શ્રદ્ધાળુઓને કુલ ₹૨૦ કરોડ, ૬૨ લાખ ૯૩ હજારની સહાય ચૂકવી છે.</p> <p>રાજ્યમાં તીર્થ દર્શન યોજનાઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો, વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ (માર્ચ-૨૦૨૫ સુધી) દરમિયાન કુલ ૬૬ હજાર ૨૩૩ શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થસ્થળોની યાત્રા કરી છે. રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને કુલ ₹૯ કરોડ ૮૬ લાખ ૩૯ હજારની સહાય ચૂકવી છે.</p> <p>આ યોજનાઓમાં સૌથી વધુ વડીલોએ લાભ મેળવ્યો છે. છેલ્લા ૩ વર્ષમાં કુલ ૬૪,૭૨૨ વડીલોએ ૧,૩૮૫ બસો દ્વારા પ્રવાસ કરીને તીર્થયાત્રાનો લાભ લીધો છે. રાજ્ય સરકારે આ વડીલો માટે ₹૭ કરોડ ૫૯ લાખ ૫૦ હજારની સહાય ચૂકવી છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષમાં સિંધુ દર્શન યોજનાનો ૧૫૦૮ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે, જેના માટે ₹૨ કરોડ ૨૬ લાખ ૨૦ હજારની સહાય ચૂકવાઈ છે. કૈલાશ માન સરોવર યાત્રા યોજનાનો પણ ૩ લોકોએ લાભ લીધો છે અને તેમને ₹૬૯ હજારની સહાય મળી છે.</p> <p><strong>શ્રવણ તીર્થ દર્શન યોજના</strong></p> <p>બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૩૪,૮૪૬ સીનિયર સિટીઝનોએ ૮૧૯ બસો દ્વારા પ્રવાસ કર્યો, જેના માટે સરકારે ₹૪ કરોડ ૨૬ લાખ ૭ હજારની સહાય ચૂકવી. સિંધુ દર્શન યોજના હેઠળ ૯૦૮ શ્રદ્ધાળુઓને ₹૧ કરોડ ૩૬ લાખ ૨૦ હજારની સહાય ચૂકવાઈ. વર્ષ ૨૦૨૩-૨૪માં શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ૧૦,૬૯૯ વડીલોએ ૨૩૯ બસો દ્વારા પ્રવાસ કર્યો, જેના માટે સરકારે ₹૧ કરોડ ૩૬ લાખ ૧૭ હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ ૩૦૦ શ્રદ્ધાળુઓને ₹૪૫ લાખની સહાય ચૂકવવામાં આવી. ગત વર્ષ ૨૦૨૪-૨૫માં શ્રવણ તીર્થ દર્શન યોજનાનો ૧૫,૫૩૭ વરિષ્ઠ નાગરિકોએ ૩૨૭ બસોમાં પ્રવાસ કરી લાભ લીધો, જેના માટે સરકારે ₹૧ કરોડ ૯૭ લાખ ૨૬ હજારની સહાય ચૂકવી, તો સિંધુ દર્શન યોજના હેઠળ ૩૦૦ યાત્રાળુઓને ₹૪૫ લાખની સહાય ચૂકવાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઇચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...