Skip to main content

રાજકોટ સમાચાર:મનપા કચેરીએ બજેટમાં મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઇ


https://ift.tt/hwdxSyJ રાજકોટ મનપા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ કોર્પોરેશનના બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં કોર્પોરેશનના નાયબ કમિશનર, સીટી એન્જિનિયરો, તથા અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, તે અંગે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક યોજવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું. મેરેજ સર્ટીફીકેટ માટે પતિ-પત્નીએ ફરજિયાત હાજર રહેવું પડશે રાજકોટ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં મેરેજ સર્ટીફીકેટ માટે હવે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે. અગાઉ વીડિયો કોલીંગ મારફત પત્નીની હયાતિ દર્શાવાતી હતી, જે નિયમ એકાએક રદ્દ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મહાનગરપાલિકામાં મેરેજ સર્ટીફીકેટ માટે આવતા યુગલો પૈકી પતિ દ્વારા ડોકયુમેન્ટ રજૂ કરી ઇન્ટરવ્યુ આપતા સમયે વીડિયો કોલ મારફતે અધિકારી દ્વારા તેમના પત્નીનું ઇન્ટરવ્યુ લઇને ખરાઇ કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ સર્જાતી હોય, જેના પગલે લગ્ન નોંધણી વિભાગ દ્વારા હવે નવો નિયમ અમલી બનાવી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત ઇન્ટરવ્યુ વખતે પતિ-પત્નીને બંનેએ સજોડે અધિકારી સમક્ષ હાજર રહેવું પડશે. 15થી વધુ ડ્રાઈવરો રજા ઉપર ઉતરી જતા સિટીબસનાં અમુક રૂટ રદ્દ રાજકોટનાં ઇન્દીરા સર્કલ પાસે સર્જાયેલ બસ દુર્ઘટના બાદ સીટી બસના ડ્રાઇવરોમાં ભયનો માહોલ જોવાઇ રહ્યો છે. ગઈકાલથી 15 કરતા વધુ ડ્રાઈવરો રજા ઉપર ઉતરી જતા મનપા દ્વારા એજન્સીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, તાત્કાલિક અન્ય વ્યવસ્થા કરવી શક્ય નહીં હોવાથી આજે અમુક રૂટની બસો બંધ રાખવાની ફરજ પડી હતી. અમુક ડ્રાઇવરોએ ગઇકાલે સાંજથી રજાનાં રિપોર્ટ મૂકી દીધા હતા. અકસ્માતની ઘટનાઓ વખતે જવાબદારી કોની ફિકસ થાય તેનો નિવેડો કોર્પોરેશનના વહીવટી તંત્ર કે એજન્સી દ્વારા લાવવામાં ન આવતા ડ્રાઇવરો મુંઝવણમાં મૂકાયા છે. મનપા તંત્ર દ્વારા લાયસન્સ સહિતનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સિટીબસની સાથે સાથે ટીપરવાનનાં ડ્રાઈવરો પણ રજા ઉપર ઉતરી જતા અનેક વિસ્તારોમાં કચરો લેવાની કામગીરી મોડી થઈ હતી. રાજકોટમાં ડિસેબલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા શરુ રાજકોટમાં ડિસેબલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ માટે લાંબા ગાળાના કોર્ષ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર, હેર એન્ડ સ્કીન કેર, કટીંગ એન્ડ સુઈંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ટૂંકા ગાળાના કોર્ષ જેવા કે એન્વેલોપ મેકિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ વેબસાઈટ https://ift.tt/XSYbZtA પર અરજી કરવાની રહેશે. અથવા અન્ય નજીકની આઈ.ટી.આઈ.માં જઈ ઓનલાઇન ફોર્મ જરૂરી પ્રમાણપત્રોની નકલો અને રજીસ્ટ્રેશન ફી સાથે જમા કરાવવાનાં રહેશે. વધુ વિગત માટે ફોન નં. 0281- 2389066 અથવા યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની પાછળ મહિલા આઈ.ટી.આઈ.ની બાજુમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા - ડિસેબલ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. આવતીકાલથી ITIનાં વિવિધ કોર્સમાં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થશે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) નાગેશ્વર મંદિર પાસે, શેઠનગર સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે ઓગસ્ટ-2025 ભરતી સત્રમાં વિવિધ કોર્સમાં એડમિશન માટે ઈચ્છુક ભાઈઓ અને બહેનોએ તા. 24 એપ્રિલથી 30 જૂન સુધીમાં પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. જેનો સમય સવારના 10થી સાંજના 5 કલાક સુધીનો રહેશે. જેમાં ધોરણ 8, ધોરણ 10ની યોગ્ય લાયકાત અનુસાર કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), વાયરમેન (WM), મિકેનિક ડીઝલ (M.D.), ફિટર (FT), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર (HSI), એટેન્ડન્ટ ઓપરેટર કેમીકલ પ્લાન્ટ, કોસ્મેટોલોજી, ડ્રેસ મેકીંગ, ફ્રીઝીયોથેરાપી ટેકનિશિયન સહિતના કોર્સ માટે અરજી કરી શકાશે. હાલ પ્રથમ રાઉન્ડની ફોર્મ ભરવાની તથા સ્વીકારવાની કાર્યવાહી ચાલી રહી છે. ઓનલાઇન પ્રવેશ ફોર્મ https://ift.tt/XSYbZtA પરથી ભરવું અથવા આઈટીઆઈ હેલ્પ સેન્ટરની રૂબરૂ મુલાકાત લેવા અથવા વધુ માહિતી માટે મો. 9979711896 પર સંપર્ક કરવા જણાવાયું છે. ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ, તરઘડીયા દ્વારા હવામાન આગાહી ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી માહિતી અનુસાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ, તરઘડીયા દ્વારા હવામાન આગાહી કરવામાં આવી છે. જે મુજબ ઉત્તર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જિલ્લામાં તા. 27 એપ્રિલ, 2025 સુધી હવામાન સુકું, ગરમ અને ચોખ્ખું રહેવાની શક્યતા છે. આ સમયમાં મહત્તમ તાપમાન દિવસ દરમિયાન 42 ડીગ્રીથી 44 ડિગ્રી સેલ્સીયસ, લઘુત્તમ તાપમાન રાત્રિ દરમિયાન 23 ડિગ્રીથી 24 ડીગ્રી સેલ્સીયસ તથા મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 70 ટકાથી 75 ટકા અને 30 ટકાથી 40 ટકા જેટલું રહેવાની સંભાવના છે તેમજ પવનની દિશા વાયવ્ય, પશ્ચિમ અને ઉત્તર બાજુ અને પવનની ઝડપ 11 કિ.મી. કલાકથી 14 કિ.મી. કલાક રહેવાની શક્યતા છે. રાજકોટનાં ASIને ઓલ ઇન્ડિયા ટેબલટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ તાજેતરમાં કેરલમાં કોચીમાં સુરક્ષા વિભાગના ખેલાડીની ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં પોલીસ દળ ઉપરાંત સી.આર.પી.એફ., અર્ધ લશ્કરી દળ, આઈ.બી. સહિતના વિવિધ વિભાગના મળી 500 કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં મૂળ રાજકોટના વતની અને હાલ તાપી, વ્યારા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. જયરાજસિંહ કે. રાઠોડે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટ તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે. તેમને ગુજરાત પોલીસ વડા ડી.જી.પી. વિકાસ સહાયે રૂબરૂ અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી જ સિદ્ધિ પ્રાપ્ત કરે, એવી શુભકામના પાઠવી હતી. જયરાજસિંહ રાઠોડ હાલ તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેઓ 7 વાર નેશનલ ટુર્નામેન્ટ સહિત ટેબલ ટેનિસની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુક્યા છે. આ પૂર્વે તેઓ રાજકોટ ખાતે સ્પોર્ટ્સ ટીચર તરીકે ફરજ બજાવેલી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...