Skip to main content

વડોદરાના સમાચાર:આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળજી કેર સેન્ટરમાં સિનિયર સિટીઝન સેવા યોજવામાં આવી


https://ift.tt/vTCHFoJ આજના ભાગદોડભર્યા જીવનમાં, આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળજી કેર સેન્ટરમાં સિનિયર સિટીઝન સેવા યોજવામાં આવીરિષ્ઠ નાગરિકો ઘણીવાર એકલતા અને નિરાધારતા અનુભવે છે. તેમની શારીરિક અને માનસિક જરૂરિયાતોને પહોંચી વળવું તેમના માટે એક પડકાર બની જાય છે. આવા સંજોગોમાં, આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ કાળજી કેર સેન્ટર વરિષ્ઠ નાગરિકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થયું છે. વરિષ્ઠ નાગરિકો માટે અનેક સેવાઓ ઉપલબ્ધ છે કાળજી કેર સેન્ટર એક એવી જગ્યા છે જ્યાં વરિષ્ઠ નાગરિકોને માત્ર આશ્રય જ નહીં, પરંતુ પ્રેમ, સંભાળ અને સન્માન પણ મળે છે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વરિષ્ઠ લોકોને મદદ કરવાનો છે જેઓ એકલા છે, આ કેન્દ્રમાં વરિષ્ઠ નાગરિકો માટે અનેક સેવાઓ ઉપલબ્ધ છે. અહીં તેમને સ્વચ્છ અને સલામત રહેઠાણ, પૌષ્ટિક ભોજન અને નિયમિત તબીબી તપાસ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, તેમની માનસિક અને ભાવનાત્મક સુખાકારીનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કેન્દ્ર દ્વારા યોગા, ધ્યાન, ભજન અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેનાથી વરિષ્ઠ નાગરિકો સકારાત્મક અને પ્રેરિત અનુભવે છે. કાળજી કેર સેન્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં દરેક વરિષ્ઠ નાગરિકને પરિવાર જેવું વાતાવરણ મળે છે. કેન્દ્રના સંચાલકો અને કર્મચારીઓ તેમની સાથે આત્મીયતાથી વર્તે છે અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે. વરિષ્ઠ નાગરિકો એકબીજા સાથે મિત્રતા કેળવે છે અને પોતાના દુઃખ-સુખ વહેંચે છે, જેનાથી તેમની એકલતા દૂર થાય છે. વરિષ્ઠ નાગરિકો આપણા સમાજનો અભિન્ન ભાગ છે આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ માત્ર સેવાઓ પૂરી પાડવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરતું પરંતુ, સમાજને પણ વરિષ્ઠ નાગરિકોના મહત્વ વિશે જાગૃત કરે છે. ટ્રસ્ટ માને છે કે, વરિષ્ઠ નાગરિકો આપણા સમાજનો અભિન્ન ભાગ છે અને તેમનો અનુભવ અને જ્ઞાન આપણા માટે અમૂલ્ય છે. આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સેવા આપી રહેલા સભ્યો જે પોતે વરિષ્ઠ હોવા છતાં આ સેવા આપે છે. આ સેવામાં અનિતા શિવનાની, સુજાતાબેન અને મંગલમ એસ ઐયર હાજર હતા. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને યોજનાકીય સહાય મેળવવાની સુવર્ણ તક વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વર્તમાન યોજનાઓનો લાભ લેવા માટે નવીન 'આઈ-ખેડૂત પોર્ટલ 2.0' ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે 47 જેટલા ઘટકોમાં બાગાયતી પાકોની યોજનાકીય સહાય મેળવવા માટે વડોદરા જિલ્લાના ખેડૂતોને તા. 31/05/2025 સુધી https://ift.tt/jcAECnY પર અરજી કરવાની તક છે. આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે અને યોજનાકીય લાભ મેળવી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી (રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરા – ફોન નં. 0265 2429153) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા અખબારી યાદીમાં જણાવાયું છે. આઇ.ટી.આઇ ગોરવા ખાતે ટેકનિકલ તથા નોન ટેકનિકલ મોડેલનું પ્રદર્શન યોજાશે વડોદરા શહેરની ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ગોરવા ખાતે તા.02/05/2025 શુક્રવારના રોજ કૌશલ્યાનુભૂતિ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેકનિકલ તથા નોન ટેકનિકલ પ્રોજેકટ્સ/મોડેલનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનનો લાભ સંસ્થાના તાલીમાર્થીઓ/ભૂતપૂર્વ તાલીમાર્થીઓ તથા વાલીઓ લઈ શકશે. આ સાથે એડમિશન-2025 હેઠળ સંસ્થા ખાતે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ પ્રવેશ પ્રક્રિયા થકી પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ -8/9/10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયોની કુલ 948 બેઠક પર પસંદગી મુજબ પ્રવેશ મેળવી શક્શે. વધુ માહિતી માટે ઇચ્છુક ઉમેદવારો અને વાલીઓને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત કરવાં માટે આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોરવાની એક યાદીમાં જણાવાયું છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...