Skip to main content

Rain Alert: આગામી ૩ કલાક ગુજરાતના ૬ જિલ્લામાં 'રેડ એલર્ટ'! વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, ૮૭ KM સ્પીડે પવન ફુંકાશે


<p><strong>Gujarat Weather:</strong> ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે આજે તાત્કાલિક ધોરણે રાજ્યના કેટલાક વિસ્તારો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ અને તોફાની પવનની શક્યતાને જોતાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી નવી આગાહી મુજબ, આગામી ત્રણ કલાક છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ૬૨ થી ૮૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.</p> <p><strong>અન્ય જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ અને યેલો એલર્ટ</strong></p> <p>રેડ એલર્ટ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ અલગ અલગ સ્તરના એલર્ટ જારી કરવામાં આવ્યા છે. વડોદરા, સુરત અને ભરૂચ જિલ્લામાં ૪૧ થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.</p> <p>આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા ૧૪ જિલ્લાઓમાં ૪૦ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે 'યેલો એલર્ટ' જારી કરાયું છે.</p> <p><strong>આગામી ૭ દિવસ વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ૨૨ મે સુધી છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી યથાવત છે. આવનારા ૭ દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે.</p> <p class="article-pg-title"><strong>5થી વધુ હવામાન નિષ્ણાંતોએ ચોમાસાની કરી આગાહી</strong></p> <p>દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૧મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૩૫ થી વધુ હવામાન નિષ્ણાંતો અને આગાહીકારો એકત્ર થયા હતા અને આગામી ચોમાસાને લઈને પોતાના અનુમાનો અને મંતવ્યો રજૂ કર્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.</p> <div class="image-pod"> <div class="figure"> <div class="figcaption">જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ઉપસ્થિત મોટાભાગના આગાહીકારોએ આગામી ચોમાસાને લઈને એકંદરે સારું અનુમાન વ્યક્ત કર્યું હતું. પરિસંવાદમાં થયેલી ચર્ચાઓ અને રજૂ થયેલા મંતવ્યો મુજબ, આ વર્ષે ૧૬ આની ચોમાસુ રહેવાની આગાહી કરવામાં આવી છે, જે પરંપરાગત માપ મુજબ ખૂબ સારા ચોમાસાનો સંકેત છે.</div> </div> </div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...