Skip to main content

Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ


<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં હાલ હળવાથી મધ્યમ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે, ગુજરાત પર વરસાદ લાવતી જે સિસ્ટમ સર્જાઇ હતી તે હવે પાકિસ્તાન તરફ ફંટાઇ ગઇ હોવાથી ગુજરાતમાં આજથી વરસાદનું જોર હવે ઘટી જશે. જો કે બંગાળની ખાડીમાં હાલ ઘનઘોર વાદળો છવાયેલા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં હજુ એક સિસ્ટમ આકાર લઇ રહી છે જે 24 જુલાઇ સુધીમાં સર્જાશે, આ સિસ્ટમના કારણે આગામી 26 જુલાઇથી ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. આ સિસ્ટમના કારણે મધ્ય ભારતમાં ફરી વરસાદનું જોર વધશે. આગામી 26 જુલાઇથી ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે.</p> <p>હાલ રાજ્યમાં હળવાથી મધ્યમ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે. નવસારીમાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સુરેંદ્રનગર શહેરમાં રાત્રિના સમયમાં &nbsp;ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સુરેંદ્રનગર શહેરમાં પાણી ભરાઇ ગયા હતા.સી.જે હોસ્પિટલ રોડ, મિલન સિનેમા રોડ ટાવર ચોક પર ભરાઇ જતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો. &nbsp;અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા.</p> <p>રાજ્યમાં સવારથી અત્યાર સુધી 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીના 3 તાલુકામાં એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં આજે 2.91 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના મહુવામાં 0.87 ઈંચ, વાપીમાં 0.59 ઈંચ વરસાદ વરસ્યો છે.આજે વાપીમાં 0.59 ઈંચ, બારડોલીમાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p>અન્ય રાજ્યોની વાત કરીએ તો&nbsp;દેશના ઘણા રાજ્યો આ દિવસોમાં ભારે વરસાદના કહેરનો સામનો કરી રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ પર્વતોમાં છે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. જેના કારણે પૂરનો ભય ઉભો થયો છે. આ સાથે પર્વતો પરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે હાઇવે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં પણ આવી જ સ્થિતિ છે. જ્યાં ભારે વરસાદને કારણે પૂરનો ભય મંડરાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને, મંગળવારે રાજૌરી જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...