Skip to main content

કેજરીવાલનો ઘા:મોડાસાથી ગુજરાત સરકારને ચેલેન્જ, ST બસ 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી, અનુસૂચિત જાતિને ઓછાં વ્યાજે લોન મળશે


https://ift.tt/xdPUAQn અલકાયદા સાથે સંકળાયેલા 4ને ATSએ ઝડપ્યા ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની અને બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે. અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાતની ATS ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કેજરીવાલે ભાજપને અમીરોની સરકાર ગણાવી મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા હતા અને પશુપાલકોને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને "અમીરોની" અને "અદાણીની" સરકાર ગણાવી, જ્યારે AAPને ગરીબો, ખેડૂતો અને શ્રમિકોની હિમાયતી તરીકે રજૂ કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મુંબઈ-અમદાવાદ NH પર 15 કિલોમીટર ટ્રાફિકજામ વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુવાબ્રિજ પર ફરી એકવાર ખાડા પડવાના કારણે 15 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો. ગઈકાલ રાતથી શરૂ થયેલા આ ટ્રાફિકજામની લંબાઈ આશરે 15 કિલોમીટર સુધી પહોંચી, જેના કારણે વાહનચાલકો બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેવેન્દ્ર વસાવાનો ચૈતર વસાવાની જામીન મુદ્દે સરકારને પડકાર નર્મદા AAPના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ચૈતર વસાવાની જામીન મુદ્દે પ્રશાસન સામે આક્રમક વલણ અપનાવી, 7 દિવસમાં ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીને જેલ ઘેરાવાનું એલાન કર્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રોંગ સાઈડ આવતા વાહન મુદ્દે HCની સ્પષ્ટ વાત ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં ગત સુનાવણીમાં હાઇકોર્ટે ઓથોરિટીને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો ઉપર પગલા લેવા હુકમ કર્યો હતો. ત્યારથી રોંગ સાઇડ આવતા વાહન ચાલકો સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ ડ્રાઇવ યોજી રહી છે. જો કે એક ઇલેક્ટ્રોનિક મીડિયા અહેવાલથી કોર્ટના ધ્યાને આવ્યું હતું કે, હાઇકોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો છોડી દેવામાં આવે છે. આ બાબતને લઈ જજે કહ્યું હતું કે, હાઈકોર્ટના કર્મચારી આવું કરે તો પણ ચલાવી ન લેવાય. હાઈકોર્ટ કાયદાથી ઉપર નથી. આ કેસ ઉપર પગલાં લો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખેડબ્રહ્મા-ધાનેરા એસટી બસ 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી દાંતા તાલુકાની કુંવારસી ઘાટી પાસે આજે એક એસટી બસનો અકસ્માત સર્જાયો છે. ખેડબ્રહ્માથી ધાનેરા તરફ જતી એસટી બસ અચાનક ગરમ થઈને બંધ પડી ગઈ હતી. બસમાં કુલ 45 મુસાફરો સવાર હતા. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, બસ બંધ થયા બાદ તેઓ નીચે ઉતરીને પથ્થર મૂકવા ગયા હતા. આ દરમિયાન બસ નીચે તરફ સરકીને 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં 10થી 12 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમાંથી બે મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે. રાજકોટ, મોરબી, જસદણ, ગોંડલ અને સુરેન્દ્રનગરથી આ વધુ બસ દોડશે. જેનાથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ જતા શ્રદ્ધાળુઓને રાહત થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નવી બાલવાટિકા 25/7એ CMના હસ્તે ખુલ્લી મૂકાશે અમદાવાદીઓ માટેના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે. ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે. અહીં નાનાં બાળકોથી લઈ મોટાની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે જો કે, રાઇડ્સની ફીસ અલગથી થશે. બાળકોને રમવાની મજા પડી જાય એવી આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલને 25 જુલાઇને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અનુસૂચિત જાતિના નાગરિકોને 4 યોજના હેઠળ ઓછા વ્યાજે લોન મળશે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ હેઠળ અનુ. જાતિના લાભાર્થીઓને 3 લાખથી 7.50 લાખનું 3%ના વ્યાજે ધિરાણ થશે. આ ધિરાણ યોજનાઓમાં લાભ મેળવવા ઈચ્છુક નાગરિકોએ આગામી તા. 23 જુલાઈ એટલે કે આજથી તા.17 ઓગષ્ટ સુધીમાં https://ift.tt/pyjunAI પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો SP રિંગ રોડ પર ટ્રેલર પાછળ પીકઅપ વાન ઘૂસી અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર તપોવન સર્કલ નજીક ટ્રેલ અને પીઅકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. ઝુંડાલ તરફ જતાં ટ્રેલરે ડાયવર્ઝન નજીક અચાનક બ્રેક મારતા પાછળથી આવતી પીકઅપ વાન ટ્રેલરની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર વાનની કેબિનમાં ફસાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કટરની મદદથી પતરાં કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. જોકે, ગંભીર રીતે ઇજા પહોંચતા ઘટનાસ્થળ પર જ ડ્રાઈવરનું મોત થયું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...