Skip to main content

ગુજરાતમાં 52 હજાર લોકો પાસે દારૂની પરમિટ:પારદર્શિતા લાવવા નશાબંધી વિભાગે નવું પોર્ટલ તૈયાર કર્યું, દારૂ સહિત 50 જાતના પરવાના ઓનલાઇન મળશે


https://ift.tt/pnuq1O9 ગુજરાતમાં 52,856 લોકો એવા છે જેમની પાસે દારૂનો પરવાનો છે. નશાબંધી અને આબકારી વિભાગે આપેલા આ આંકડા ગયા મહિનાના અંત સુધીના છે. તમને જાણીને નવાઈ લાગશે કે 85 ટકા લોકો એ તો સ્વાસ્થ્યનું કારણ આપીને પરવાનો મેળવેલો છે. જેનો આંકડો 45,032 છે. જ્યારે 2551 હંગામી પરમિટ, 3530 મુલાકાતી પરમિટ અને 1743 પ્રવાસી પરમિટ પણ આપવામાં આવેલી છે. નશાબંધી અને આબકારી વિભાગ દારૂ સહિત કુલ 50 કરતા પણ વધુ પરવાના ઇશ્યૂ કરે છે. અગાઉ, ગુજરાતની નશાબંધી અને આબકારી કચેરીમાં કોઈપણ પરવાનો મેળવવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઈન હતી. અરજદારોને ફોર્મ ભરવા, બેંકમાં ચલણ દ્વારા ફી ચૂકવવા અને ડોક્યુમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ ધમધોકાર ચાલતો હોવાની ફરિયાદો આવતી હતી. પણ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ પરવાનાની પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. https://ift.tt/IRz52xT નામની વેબસાઇટ મારફતે આવા પરવાના મેળવી શકાશે. જેમાં લોગ-ઇન આઇડી જનરેટ કરવી પડશે. ત્યાર બાદ વેબસાઇટ પર આપેલી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્રીજા તબક્કામાં ફી પણ ઓનલાઇન ભરી દેવાની રહેશે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં ઇશ્યૂ થયેલી દારૂની કુલ 52, 800 પરમિટમાંથી 66 ટકા પરમિટ માત્ર ચાર જિલ્લા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના લોકોએ મેળવેલી છે. જ્યારે અન્ય 22 જિલ્લામાં 17,800એ પરમિટ લીધી છે. ગુજરાતમાં જેટલો આશ્ચર્યજનક આંકડો દારૂના પરવાના મેળવવાનો છે. એટલો જ ચોંકાવનારો આંકડો દારૂ પકડાવવા બાબતનો પણ છે. ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ 2024 દરમિયાન દારૂના કુલ 455 કેસ કરીને 22.52 કરોડ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. DGPના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે. 2024માં વર્ષના 365 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર રાજ્યભરમાં દારૂ અને જુગારના 534 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં દારૂના સૌથી વધુ કેસ ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેર અને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ચોક્કસ વિસ્તારો ઉપરાંત રિંગ રોડ અને શહેરના છેવાડાના પોલીસ મથકોની હદમાંથી દરરોજ રાત્રે દારૂના સંખ્યાબંધ વાહનો પસાર થઇ રહ્યા હોવાની વિગતો ગાંધીનગર બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી જાય છે, પરંતુ સ્થાનિક પોલીસ તેનાથી અજાણ હોય છે. વળી, સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂના કેસોને પણ આમાં સામેલ કરવામાં આવે તો આંકડો અનેકગણો વધી શકે છે. નશાબંધી અને આબકારી વિભાગનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં શંકા અને પ્રશ્નો ઊભા થાય છે. જોકે, હવે આ વિભાગ પોતાની છબી બદલવા માટે સક્રિય બન્યો છે. ગુજરાતનો નશાબંધી વિભાગ પોતાની કામગીરીને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવા માટે એક મોટું ડિજિટલ પરિવર્તન લાવી રહ્યો છે. આ વિભાગની તમામ કામગીરી હવે ઓનલાઈન થઈ રહી છે, જેનાથી ભ્રષ્ટાચાર અને સમયનો બગાડ અટકાવી શકાય. ઓફલાઈનથી ઓનલાઈન પ્રક્રિયાનું પરિવર્તન પહેલા તબક્કામાં, નશાબંધી અને આબકારી કચેરીને ઈ-સરકાર સાથે જોડવામાં આવી, જેનાથી વહીવટી કામ અને લાયસન્સ ફોર્મની પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ. ત્યારબાદ, લાયસન્સ માટેની ફી ભરવાની પ્રક્રિયા પણ ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)દ્વારા વિકસાવવામાં આવેલા ઈ-પ્રોહિબિશન પેમેન્ટ પોર્ટલ પર ઓનલાઈન કરી દેવામાં આવી છે. ગુજરાત નશાબંધી અને આબકારી કચેરી 50થી વધુ પ્રકારના વિવિધ પરવાના આપે છે. આ તમામ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે, ઈ-પ્રોહિબિશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેઇન્ટેનન્સ માટે GILને 3.65 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ પોર્ટલથી હવે લાયસન્સ માટેની અરજી, દસ્તાવેજો સબમિટ કરવા અને ફી ભરવા જેવી તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. ઇન્જેક્શન લગાવતા સમયે રૂના પૂમડા પર લાગતા કેમિકલ માટે પણ લાયસન્સ જરૂરી વિભાગે પ્રથમ તબક્કામાં સૌથી વધુ માગ ધરાવતા લાયસન્સની પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ અને કેમિકલ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મિથેનોલ આલ્કોહોલ (જેને MA-1 અને MA-2 કહેવાય છે) અને ક્લિનિક્સ તેમજ હોસ્પિટલો દ્વારા ઉપયોગમાં લેવાતા ડિનેચર્ડ સ્પિરિટ (DS-3 અને DS-4)ના પરવાના મેળવવાની પ્રક્રિયા સૌથી પહેલા ઓનલાઇન કરવામાં આવી. કોઇપણ વ્યક્તિને ઇજેંકશન માર્યા બાદ સ્પિરિટનું રૂનું પૂમડું ઘસવામાં આવે છે. તેના માટે ડીનેચર્ડ સ્પિરિટનો પરવાનો લેવામાં આવે છે. આ પરવાના મેળવનારાની સંખ્યા વધુ છે. જેના માટે ગયા મહિનાથી ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે અને બાકીના 46 પ્રકારના પરવાના માટે પણ ડિસેમ્બર 2025 સુધીમાં ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી દેવાનું પ્લાનિંગ છે. આ ડિજિટલ પહેલથી ઉદ્યોગ જગતને પણ ઘણો ફાયદો થયો છે. કોનકાર્ડ બાયોટેક લિમિટેડના ડાયરેક્ટર કલ્યાણ પટ્ટનાયકે જણાવ્યું કે,ઓનલાઈન સિસ્ટમના કારણે ઘણું કામ સરળ થઈ ગયું છે. પોર્ટલ દ્વારા મિથેનોલ માટેના નવા લાઇસન્સ અને જૂના લાયસન્સમાં પ્રોડક્ટ ઉમેરવા જેવા કામો ઝડપી થાય છે અને લમય બચે છે. સરકારી ઓફિસોના ધક્કા પણ ખાવાના નથી થતાં. વળી, કોઈના પર નિર્ભર પણ નથી રહેવું પડતું તેમજ પારદર્શિતા પણ વધી છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ લીગલ અને ટેક્સેસનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમરેશ ચૌધરીએ આ ફેરફારને એક મહત્વપૂર્ણ સિમાચિહ્ન ગણાવ્યું. તેમણે કહ્યું કે, ઓનલાઈન પ્લેટફોર્મના કારણે અમારા પર વહીવટી કામનો બોજ ઓછો થયો છે. કાગળકામ ઘટ્યું અને સમયનો બગાડ નથી થતો. પરવાના પણ ઝડપી મળવા લાગ્યા છે. ડિજિટલ પરિવર્તનના મુખ્ય ફાયદા નશાબંધી અને આબકારી વિભાગના નિયામક ડો. હર્ષિત પી. ગોસાવીએ અધિકારીઓને સૂચના આપી છે કે, ઓનલાઈન આવેલી તમામ અરજીઓનો નિકાલ 10 દિવસની સમયમર્યાદામાં કરવો. આ સુધારાના કારણે નશાબંધી અને આબકારી વિભાગની છાપ ઘણા અંશે સુધરશે. નશાબંધી અને આબકારી વિભાગ હવે તેના કામકાજને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. પરવાના મેળવવા માટે આવતી ફાઇલોના નિકાલમાં વિલંબ ન થાય એ માટે એક ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કઈ ફાઇલ કયા ટેબલ પર કેટલા દિવસથી છે એ પણ જાણી શકાશે આ નવી સિસ્ટમથી અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી દરેક અરજીનું સતત મોનિટરિંગ થાય છે. આ સિસ્ટમથી જાણી શકાય કે કઈ ફાઇલ કયા ટેબલ પર, કયા કર્મચારી પાસે અને કેટલા દિવસથી પેન્ડિંગ છે. દરરોજ સાંજે, દરેક કર્મચારી અને તેમના વિભાગના અધિક્ષકને એક SMS દ્વારા જાણ કરવામાં આવે છે કે કઈ ફાઇલો પેન્ડિંગ છે. આનાથી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે છે અને ફાઇલોનો નિકાલ સમયસર થાય છે. રાજ્ય કક્ષાના અધિકારીઓને પણ દરરોજ સાંજે SMS દ્વારા જાણ કરવામાં આવે છે કે કયા જિલ્લામાં કેટલી ફાઇલો પાંચથી વધુ દિવસથી પેન્ડિંગ છે. આનાથી ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રાજ્યની કામગીરી પર નજર રાખી શકે છે. કલર-કોડિંગ સિસ્ટમની વિચારણા વિભાગ ફાઇલોના નિકાલને વધુ ઝડપી બનાવવા માટે કલર-કોડિંગ સિસ્ટમ દાખલ કરવાનું વિચારી રહ્યું છે. એટલે કે જો ફાઇલ 5 દિવસ સુધી પેન્ડિંગ હશે, તો લીલો રંગ બતાવશે. જો ફાઇલ 5 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ હશે, તો ત્યાં લાલ રંગ બતાવશે, જે સંભવિત વિલંબનો સંકેત આપશે. આ સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ એ છે કે જો કોઈ ફાઇલ 10 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ હશે, તો સંબંધિત કર્મચારી સામે આપોઆપ શો-કોઝ નોટિસ જનરેટ થઈ જશે. નશાબંધી વિભાગમાં 66% જગ્યાઓ ખાલી નશાબંધી અને આબકારી વિભાગમાં આધુનિકીકરણના પ્રયાસો થઈ તો રહ્યા છે, બીજી તરફ કર્મચારીઓની ભારે અછત છે. કુલ મંજૂર મહેકમ 884 છે, જેમાંથી માત્ર 301 જગ્યાઓ ભરાયેલી છે. આનો અર્થ એ થયો કે 66% જગ્યાઓ ખાલી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા કર્મચારીઓને એકથી વધુ જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જે કામગીરી પર દબાણ વધારી રહ્યું છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...