Skip to main content

સુરતમાં બાળકને જન્મ આપ્યાના 10 દિવસ બાદ માતાની આત્મહત્યા, જામનગરમાં પિતાના ઠપકાથી યુવકે જીવન ટૂંકાવ્યું


<p style="text-align: justify;"><strong>Gujarat News:</strong> રાજ્યમાં બે આત્મહત્યાની ઘટના સામે આવી છે. પ્રથમ વાત કરીએ જામનગરની તો અહીં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે જ્યારે બીજી ઘટના સુરત ખાતે સામે આવી છે. અહીં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આમ બે આત્મહત્યાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે.</p> <p style="text-align: justify;"><strong>જામનગર: મેડિકલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત</strong><br />જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી લીધી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મુવાણા ગામના રહેવાસી વિવેક પરમાર જામનગર મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર C-21, 01 માં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. ગત રોજ વિવેકે પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.</p> <p style="text-align: justify;">પોલીસની પ્રાથમિક તપાસમાં નોંધાયું છે કે મૃતક વિવેકે પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના નાણાં લીધાં હતાં. આ સંદર્ભે તેના પિતાએ ઠપકો આપ્યો હતો. પોલીસનું અનુમાન છે કે પિતાના આ ઠપકાથી વિવેકને મનમાં લાગી આવ્યું હશે, જેના કારણે તેણે અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવી લીધું. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.</p> <p style="text-align: justify;"><strong>સુરત: સિવિલ હોસ્પિટલ પરિસરમાં નવજાત બાળકની માતાનો આપઘાત</strong><br />સુરતની સિવિલ હોસ્પિટલ પરિસરમાં એક 26 વર્ષીય યુવતીની આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.</p> <p style="text-align: justify;">મૃતક યુવતીની ઓળખ પૂજા કુશવાહ (મૂળ યુપીની રહેવાસી) તરીકે થઈ છે, જે છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. પૂજાને ડિલિવરી માટે દસ દિવસ પૂર્વે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. બાળક બીમાર હોવાથી છેલ્લા 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.</p> <p style="text-align: justify;">શુક્રવારના રોજ સારવાર દરમિયાન યુવતી હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ આજે સવારે સ્ટેમસેલ બિલ્ડીંગ અને કોવિડ બિલ્ડીંગ સામે ઝાડ પર તેની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.</p> <p style="text-align: justify;">માત્ર 10 દિવસના માસૂમ બાળકને જન્મ આપ્યા બાદ માતા દ્વારા આત્મહત્યા કરી લેવાતા, આ દુઃખદ ઘટનાથી 10 દિવસીય બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...