
https://ift.tt/v2aWuEP રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા તા. 22/9 સુધી લંબાવવામાં આવી છે. તા. 19/9 સુધીમાં કચ્છમાં 11907 ખેડૂતોએ મગફળી માટે, 355 ખેડૂતોએ સોયાબીન માટે, 162 ખેડૂતોએ અડદ તેમજ 56 ખેડૂતોએ મગ માટે ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે. ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરીફીકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 10 ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેમ છતાં પણ SMS મળ્યો હોય, તેમણે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરીફીકેશન કરાવી લેવાનું રહેશે. જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી ગ્રામ્ય કક્ષાએ મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે. ખેડૂતોને Digital Crop Survey-Gujarat એપ્લીકેશન ડાઉનલોડ કરીને જાતે પણ ડિજિટલ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવાનો અનુરોધ કરવામાં આવે છે. જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું હતું.
Comments
Post a Comment