Skip to main content

નવરાત્રી પહેલાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ


<p style="text-align: justify;"><strong>Gujarat Rain:</strong> આ વર્ષે નવરાત્રી શરૂ થતાં પહેલાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે લાંબા સમયના ઉકળાટ અને બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે, આ વરસાદે ખેડૂતો અને નવરાત્રી આયોજકોની ચિંતા પણ વધારી છે.</p> <p style="text-align: justify;"><strong>અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઝાપટાં</strong></p> <p style="text-align: justify;">અમદાવાદ શહેરમાં ગઈકાલ રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાડ પડ્યો છે. નિકોલ, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ,જશોદાનગર,બાપુનગર સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત વહેલી સવારે પશ્ચિમ વિસ્તારના પ્રહલાદનગર, આનંદનગર રોડ, શ્યામલ અને જીવરાજ પાર્ક જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ આવવાથી શહેરનું વાતાવરણ ઠંડુ બન્યું છે.</p> <p style="text-align: justify;"><strong>છોટાઉદેપુર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ</strong></p> <p style="text-align: justify;">છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આ જ રીતે, જૂનાગઢના વંથલી પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો. જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ, ગાંધીચોક અને સુખનાથચોક જેવા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા. આ અચાનક આવેલા વરસાદથી લોકો ખુશ થયા, પરંતુ નવરાત્રીના આયોજકો ચિંતિત બન્યા છે.</p> <p style="text-align: justify;"><strong>વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ</strong></p> <p style="text-align: justify;">વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના છાણી, ગોરવા, સમતા, સમા, નિઝામપુરા, હરણી, સયાજીગંજ અને ફતેગંજ જેવા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદ ક્યારેક ધીમી ધારે તો ક્યારેક મધ્યમ ગતિએ પડી રહ્યો છે.</p> <p style="text-align: justify;"><strong>અમરેલી અને અરવલ્લીમાં પૂર જેવી સ્થિતિ</strong></p> <p style="text-align: justify;">અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે કાળુભાર નદીમાં પૂર આવ્યું. ઉપરવાસના ચરખા, ચમારડી અને ઘૂઘરાળા ગામોમાં સારો વરસાદ થતાં નદીમાં પાણીનું સ્તર વધ્યું. ખેડૂતોને ભય છે કે આ વરસાદથી કપાસના પાકમાં આવેલો ફાલ ખરી જશે. આ જ રીતે, અરવલ્લી જિલ્લાના બાયડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.</p> <p style="text-align: justify;">વરસાદે હાલ પૂરતી ગરમીમાંથી રાહત આપી છે, પરંતુ નવરાત્રીની તૈયારીઓ પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે તેના પર સૌની નજર રહેશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...