Skip to main content

દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: વલસાડ અને નવસારીમાં ધોધમાર , ગરબા અટકતાં ખેલૈયાઓ અને આયોજકોમાં નિરાશા


<p><strong>South Gujarat heavy rain:</strong>&nbsp;દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદના વિરામ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વલસાડ, વાપી અને ઉમરગામ સહિતના તમામ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો, જેનાથી તલાવચોરા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વરસાદને કારણે બંને જિલ્લાઓમાં ગરબાનું આયોજન અટકી ગયું છે, જેનાથી મોંઘા પાસ ખરીદનારા ખેલૈયાઓ અને આયોજકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.</p> <p><strong>વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ</strong></p> <p>વલસાડ જિલ્લામાં કેટલાક સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મોડી સાંજે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર, કપરાડા, વાપી, વલસાડ અને ઉમરગામ જેવા તમામ તાલુકાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ. ખાસ કરીને કપરાડામાં મોડી સાંજે અચાનક 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી છે.</p> <p><strong>ગરબા આયોજન પર મોટી અસર</strong></p> <p>નવરાત્રિની મોસમમાં વરસાદ પડતાં ગરબાના આયોજન પર તેની સીધી અસર પડી છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે ગરબાનું આયોજન અટકી ગયું છે. જે સ્થળો પર ડોમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. સજી-ધજીને ગરબા માટે તૈયાર થયેલ ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે, અને મોંઘા પાસ ખરીદનારાઓમાં પણ નિરાશા વ્યાપી છે. વાપીમાં વરસાદને કારણે ગરબા આયોજકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.</p> <p><iframe title="Valsad Rain | વરસાદે બગાડી ગરબાની મજા, વલસાડમાં ગરબા કરવા પડ્યા બંધ!" src="https://www.youtube.com/embed/FFutDgmwqtk" width="950" height="695" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>નવસારીના ચીખલીમાં ભારે પવન અને નુકસાન</strong></p> <p>વલસાડની જેમ જ નવસારી જિલ્લામાં પણ વરસાદની અસર જોવા મળી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.</p> <p><strong>વૃક્ષો પડવાથી નુકસાનની સંભાવના</strong></p> <p>ભારે પવનને કારણે ચીખલીના મુખ્ય મથક સહિત તલાવચોરા અને આસપાસના ગામોમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને તલાવચોરા ગામમાં મોટું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચીખલી તાલુકામાં યોજાતા ગરબાના આયોજકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં પણ મોટા નુકસાનની સંભાવના છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...