Skip to main content

Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી થશે મેઘરાજાનું આગમન, આ જિલ્લામાં એલર્ટ જાહેર


<p><strong>Gujarat Rain Forecast:</strong>બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ફરી ગુજરાતમાં મેઘરાજાનું &nbsp;આગમન થઇ શકે &nbsp;છે. હાલ નવરાત્રિનું પર્વ રાજ્યમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. આ સ્થિતિમાં ફરી ગુજરાતમાં વરસાદનું આગમન ખૈલેયા માટે વિઘ્નરૂપ બની શકે છે. આવતીકાલે ચાર જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.&nbsp; આજે છ જિલ્લા અને સંઘપ્રદેશમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.&nbsp; આજે ભરૂચ, નર્મદા, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.આજે નવસારી, વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આજે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>આજે અમદાવાદમાં પણ &nbsp;ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે. કાલે સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું ચે. દમણ, દાદરાનગર હવેલીમાં કાલે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. આગામી દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારના દરિયાખેડુને દરિયામાં ન ખેડવાની અપીલ કરાઇ છે.</p> <p>આવતીકાલથી ફરી ખેલૈયાઓના રંગમાં ભંગ મેઘરાજા પાડી શકે છે. આવતીકાલથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.&nbsp; મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદનું અનુમાન છે. 28 સપ્ટેમ્બરના &nbsp;અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો વરસ્યો 111 ટકા વરસાદ વરસ્યો છે.</p> <p>બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયુ છે. બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ સિસ્ટમ આગળ વધશે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશે, શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. રવિવારથી આ સિસ્ટમ આગળ વધતાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ પહેલા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થશે. ડિપ્રેશન બન્યાં બાદ તે આગળ વધશે અને તેના કારણે શનિવાર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચ્યાં બાદ નબળી પડશે તો ગુજરાતમાં ધાર્યા કરતા ઓછું વરસાદની શકયતા રહેશે એટલે કે વરસાદનું પ્રમાણ ઘટી જશે. આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થશે. એટલે કે 29 અને 30 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને 30 સપ્ટેમ્બરની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.</p> <p>આ સિસ્ટમ મહારાષ્ટ્રથી પસાર થશે જેથી મુંબઇ સહિતના આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. જો આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચતા નબળી પડી જશે તો ગુજરાતમાં વરસાદની શક્યતા ઘટી જશે,&nbsp; હાલના આંકલન મુજબ વલસાડ, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં &nbsp;ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભાગનગરમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદ,ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા,પાટણ આ તમામ વિસ્તારમાં 29 અને 30 તારીખે કેટલાક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. ટૂંકમાં જો આ સિસ્ટમ મજબુતાઇથી આગળ વધશે તો 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામશે</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...